Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

તેજપ્રતાપ ઘાઘરા-ચોળી પહેરીને રાધા બનતા હતા : ઐશ્વર્યા

બિહારના ભૂતપૂર્વ સ્વાસ્થ્ય મંત્રી તેજપ્રતાપ યાદવની પત્ની એશ્વર્યાએ તેમના પતિ પર ગંભીર આક્ષેપ કર્યા છે. એશ્વર્યાએ કોર્ટમાં તેમના પતિ પાસેથી છૂટેછેડા લેવા માટે અરજી દાખલ કરી છે. મંગળવારે એશ્વર્યાએ કોર્ટમાં પોતાનો જવાબ દાખલ કરતા જણાવ્યું હતું કે, તેજપ્રતાપ ડ્રગ્સ લે છે અને તેમને ત્રાસ આપે છે.
એશ્વર્યાએ કલમ ૨૬ ઘરેલુ હિંસા સંરક્ષણ એક્ટ, ૨૦૦૫ હેઠળ અરજી દાખલ કરીને ફેમિલિ કોર્ટ પાસેથી સુરક્ષાની માગણી કરી છે. લાલુ પ્રસાદ યાદવ અને રાબડી દેવીના પુત્ર તેજપ્રતાપના લગ્ન મે, ૨૦૧૮માં થયા હતા.
એશ્વર્યા પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, લગ્ન બાદ તેમને જાણ થઇ કે તેજ ડ્રગ્સ એડિક્ટ છે. ડ્રગ્સ લીધા બાદ તે ભગવાન શિવનો અવતાર હોવાનો દાવો કરે છે. એશ્વર્યાના જણાવ્યા મુજબ, તેજ ઘાઘરા-ચોળી પહેરીને વાળમાં વિગ પહેરે છે અને રાધાનું રૂપ ધારણ કરે છે.
એશ્વર્યાએ જણાવ્યું હતું કે, તેમણે આ અંગે તેમના સાસરિયા સાથે વાત કરી હતી પરંતું કોઇએ કોઇ મદદ કરી નહતી. તેજના વ્યવહાર અંગે મેં સાસુ અને નણંદને વાત કરી હતી. તેમણે આશ્વાસન આપ્યું કે, તેજ હવે આવું નહીં કરે. પરંતુ તેજના વ્યવહારમાં કોઇ ફેરફાર આવ્યો નહતો.

Related posts

આઇસસ્ક્રીમના ભાવ પણ વધશે

editor

बाबा रामदेव की विपक्ष को चुनौती – इससे बेहतर बजट बनाकर दिखाओ

editor

बुलंदशहर के डीएम अभय सिंह के घर सीबीआई का छापा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1