Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રાહુલ-પ્રિયંકા દિલ્હીમાં ચૂંટણી પ્રચાર કરી સમય બર્બાદ કરી રહ્યાં છે : કેજરીવાલ

લોકસભાની ચૂંટણીને લઇને ચૂંટણી પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો છે. આગામી ૬ઠ્ઠા તબક્કામાં દિલ્હીની ૭ લોકસભા બેઠકો પર ચૂંટણી થવાની છે ત્યારે કોંગ્રેસ સાથે દિલ્હીમાં ગઠબંધન નહી થઇ શક્યા બાદ હવે આમ આદમી પાર્ટી કોંગ્રેસને લઇને આક્રમક જોવા મળી રહી છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધીએ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ચૂંટણી પ્રચાક કરવો જોઇએ કારણ કે, કોંગ્રેસની ત્યાં ભાજપ સાથે સીધી ટક્કર છે.
તેમણે કહ્યું કે, પ્રિયંકા ગાંધી સમય બગાડી રહી છે, તે કેમ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પ્રચાર નથી કરી રહી? તે રેલીઓ ઉત્તરપ્રદેશમાં સપા-બસપાના ગઠબંધનના વિરુદ્ધમાં કરી રહી છે, તે રેલી દિલ્હીમાં આમ આદમી પાર્ટી વિરુદ્ધ કરી રહી છે. બંન્ને ભાઇ-બહેન તે જગ્યાએ પ્રચાર કેમ નથી કરી રહ્યાં જ્યાં તેમની ટક્કર સીધી ભાજપ સાથે છે.

Related posts

पीएम नरेन्द्र मोदी रविवार को श्रीलंका की यात्रा पर जाएंगे

aapnugujarat

LIC की हिस्सेदारी बेचने के विरोध में 4 फरवरी को हड़ताल

aapnugujarat

भारत में कोरोना की रफ्तार में आई कमी

editor

Leave a Comment

UA-96247877-1