Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

સેબીની સૌથી મોટી કાર્યવાહી, એનએસઈને ફટકાર્યો ૧૧૦૦ કરોડનો દંડ

સિકયુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)એ નેશનલ સ્ટોક એક્સચેન્જને રૂ.૧૧૦૦ કરોડનો દંડ કર્યો છે. કેટલાક સર્વરનો ખોટી રીતે ઉપયોગ કરીને અમુક ચોક્કસ બ્રોકર્સને વિશેષ લાભ પહોંચાડવા બદલ નેશનલ સ્ટોક એક્સચેન્જને આ દંડ ફટકારાયો હોવાનું સામે આવ્યું છે.
આ સાથે સેબીએ નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ )ના બે પૂર્વ મેનેજીંગ ડિરેક્ટર્સ રવિ નારાયણ અને ચિત્રા રામકૃષ્ણ ઉપર પાંચ વર્ષ સુધી કેટલીક સૂચિબદ્ધ કંપનીઓ સામે કામ કરવા ઉપર પણ પ્રતિબંધ લગાવ્યો છે. આ બંને ડિરેક્ટર્સને તેમનો જે-તે સમયનો પગાર પણ પરત કરવાનો આદેશ કરવામાં આવ્યો છે, જે સમયે તેમણે ઓપીજી સિક્યુરિટીઝ, જીકેએન સિકયુરિટીઝ અને વે૨ હેલ્થ સિકયુરિટીઝને ફાયદો પહોંચાડ્યો હતો.સિકયુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)એ આ મામલે નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)ના બે પૂર્વ મુખ્ય કાર્યકારી અધિકારી અને મેનેજીંગ ડિરેક્ટર રવિ નારાયણ અને ચિત્રા રામકૃષ્ણને આ સમયગાળા દરમિયાન તેમને મેળવેલા વેતન પૈકીનો ૨૫% હિસ્સો પરત કરવાનો આદેશ કર્યો છે.વર્ષ ૨૦૧૫માં થયેલી એક ફરિયાદ બાદ એનએસઈની કૉ-લોકેશન સુવિધા તપાસના દાયરામાં આવી હતી. આ અનુસાર એનએસઈએ ટીક-બાઈ-ટીક (ટીબીટી) ડેટા રૂપરેખા અંતર્ગત જે અટયકાયતના પ્રયાસો કરવા જોઈતા હતા તે તેમાં તેમણે ઢીલાશ રાખી હતી. (ટીબીટી) ડેટા ફીડ ઓર્ડર બુકમાં થતા પરિવર્તનની જાણકારી આપે છે.સેબીના પૂર્ણ કાલીન સભ્ય જી. મહાલિંગમે આ આદેશમાં જણાવ્યું હતું કે, ’આ મામલે કોઈ શંકા નથી કે શેરબજારે ટીબીટીની રૂપરેખાનો લાગુ કરતી વેળા કોઈ ઝાઝી મહેનત કરી નહોતી। આ કારણે ધંધાનું એવું વાતાવરણ બની ગયું જેમાં માહિતીમાં ભારે વિસંગતતા હતી. આ બાબતને ન્યાયસંગત, નિષ્પક્ષ અને ઉચિત ગણી શકાય નહિ. વળી, બીજી તરફ સેબીએ નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)ને આગામી છ મહિના સુધી કોઈપણ નવા ડિરેકટીવ પ્રોડક્ટસ રજુ કરવાનું જણાવ્યું નહોતું.

Related posts

મોદી ૮મીએ પ્રયાગરાજ ખાતે જનસભા કરવા તૈયાર

aapnugujarat

१० साल में तीसरी बार गुर्जरों को मिलेगा ५ प्रतिशत आरक्षण

aapnugujarat

શંકરાચાર્યના પદે સ્વામી સ્વરૂપાનંદ અને વાસુદેવાનંદ અવૈધઃ અલ્હાબાદ હાઇકોર્ટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1