પુલવામા હુમલાને લઈને ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યુ છે કે, ભારત પાસે આનાથી સારો મોકો કદી નહિ મળે. દેશની સેના અને સુરક્ષા દળોએ આ દરમિયાન પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીર (પીઓકે)માં ઘુસીને મુઝફફરાબાદ ઉપર કબજો કરી લેવો જોઈએ. તેમણે આ ટીપ્પણી સોશ્યલ મીડીયા થકી કરી છે.
તેમણે ટવીટ કરીને કહ્યુ છે કે, આનાથી સારો મોકો કદી નહીં મળે કે જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારત તરફ વાતાવરણ જામ્યુ છે. આપણી પાસે સીઝફાયર ઉલ્લંઘન કરીને અને પીઓકેથી મુઝફફરાબાદને ફરી પરત મેળવવાનો સારામા સારો મોકો છે. દેશે ઈઝરાયેલથી ખરીદેલ ડ્રોન્સની મદદથી મસુદ અઝહરનો ઘડો લાડવો કરી નાખવો જોઈએ અને કલમ ૩૭૦ને સમાપ્ત કરી દેવી જોઈએ.
એક અન્ય ટવીટમાં તેમણે કહ્યુ છે કે ઈરાક અને સીરીયાનો સફાયો થયા બાદ હવે ઈસ્લામીક સ્ટેટ પીઓકેને લઈને ઉતાવળુ થયુ છે તેને જૈશ-એ-મોહમદને પોતાની જાળમાં સપડાવી દીધુ છે. આ સંજોગોમાં ભારતે તત્કાલ પગલુ લેવુ જોઈએ. જો આવુ નહિ થાય તો ભારતના વિવિધ હિસ્સામાં આ જેહાદની કેન્સર ફેલાવા લાગશે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ