Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

યુપીની ચૂંટણી માટે કેજરીવાલ અપના દલ સાથે હાથ મિલાવશે

આમ આદમી પાર્ટીએ કરેલી સત્તાવાર ઘોષણા અનુસાર તે કૃષ્ણા પટેલની આગેવાનીવાળા અપના દલ સાથે ગઠબંધન કરી અને યૂપીની ચૂંટણીમાં ૮૦ બેઠકો પર ચૂંટણી જંગ ખેલશે. પરંતુ ગત વર્ષની જેમ આ વર્ષે પાર્ટીના મુખ્ય નેતા અરવિંદ કેજરીવાલ વારાણસી બેઠક પરથી ઉમેદવારી નહીં નોંધાવે. આપના રાજ્યસભાના સાંસદ સંજય સિંહએ જણાવ્યાનુસાર ફેબ્રુઆરીના અંત સુધીમાં બેઠક અને તેના ઉમેદવારો અંગે નિર્ણય લેવાય જાશે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે કેજરીવાલે ક્યારેય કહ્યું નથી કે તે લોકસભાની ચૂંટણી લડશે. તે દિલ્હીના મુખ્યમંત્રી છે અને ૨૦૧૯માં લોકસભાની રેસમાં ઉતરવાની તેમની કોઈ યોજના નથી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે પાર્ટી ઉત્તર પ્રદેશના સંસદીય ક્ષેત્રોમાં પોતાના ઉમેદવાર ઉતારશે જ્યાં તેમનું સંગઠન મજબૂત છે.

Related posts

बिहार विस चुनाव : तेज प्रताप यादव ने हसनपुर सीट से दाखिल किया नामांकन

editor

રાજ્યસભામાં ચીન મુદ્દે વિપક્ષનો વોકઆઉટ

aapnugujarat

મનમોહનસિંહે વાજપેયીને ભીષ્મ પિતામહ ગણાવ્યાં હતાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1