Aapnu Gujarat
રાષ્ટ્રીય

જમીન સોદાબાજી કેસના સંદર્ભમાં હુડાના સાથીઓના આવાસ ઉપર દરોડા

હરિયાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભુપેન્દ્રસિંહ હુડાના સાથીઓના આવાસ ઉપર વ્યાપક દરોડા પાડવામાં આવ્યા હતા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા માનેસર જમીન સોદાબાજીના કેસમાં આ દરોડા પાડવામાં આવ્યા હતા. ગુરૂગ્રામના માનેસરમાં આ જમીન સોદાબાજી ૪૦૦ એકડની હોવાનું જાણવા મળ્યું છે. હરિયાણામાં આઠથી નવ સ્થળો ઉપર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યારે દિલ્હીમાં પણ કેટલાક સ્થળો ઉપર દરોડાની કાર્યવાહી આજે સવારથી જ હાથ ધરવામાં આવી હતી. માનેસર જમીન સોદાબાજીના સંદર્ભમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગયા વર્ષે નવમી સપ્ટેમ્બરના દિવસે નોંધવામાં આવેલા મની લોન્ડરીંગ કેસના સંબંધમાં આ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. માનેસરમાં જમીન અધિગ્રહણમાં નાણાકીય ગેરરીતિ બદલ સીબીઆઈ કેસના આધાર ઉપર ગયા વર્ષે હુડા અને અન્યો સામે મનો લોન્ડરીંગ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ જમીન ૨૭મી ઓગસ્ટ ૨૦૦૪થી ૨૪મી ઓગસ્ટ ૨૦૦૭ના ગાળા દરમ્યાન રાજ્ય સરકાર દ્વારા અધિગ્રહણની ધમકી આપીને ખરીદવામાં આવી હતી. હરિયાણા સરકારે શરૂઆતમાં જમીન અધિક્હણ ધારા હેઠળ જાહેરનામું જારી કર્યું હતું. માનેસરમાં ઈન્ડસ્ટ્રીયલ મોડલ ટાઉનશીપ સ્થાપિત કરવા માટે જાહેરનામું જારી કરાયું હતું. મોડેથી તમામ જમીન જમીન માલિકો પાસેથી પચાવી પાડવામાં આવી હતી. ખૂબ જ ઓછા દરમાં ખાનગી બિલ્ડરો દ્વારા આ જમીન પચાવી પાડવામાં આવી હતી. કેસ દાખલ કર્યા બાદ સીબીઆઈએ આ સંદર્ભમાં માહિતી આપી છે. આ મહિનાની શરૂઆતમાં જ આ કેસના સંદર્ભમાં સીબીઆઈ દ્વારા હુડાની નવ કલાક સુધી પૂછપરછ કરાઈ હતી.

Related posts

નીતીશકુમાર ગમે ત્યારે મુખ્યમંત્રી પદ છોડી શકે છે

aapnugujarat

વારાણસી હિંદુ યુનિ.ની વિદ્યાર્થીનીઓની સુરક્ષાને લઇ નવા હુકમ જારી થયા

aapnugujarat

महाराष्ट्र : मॉब लिंचिंग को रोकने के लिए विधायकों ने कड़ा कानून बनाने की मांग की

aapnugujarat

Leave a Comment

UA-96247877-1