Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પીએમ મોદી-યોગીના રહેતા રામ મંદિર ન બને તો આશ્ચર્ય થશે : ઉમા ભારતી

કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીએ રામ મંદિર નિર્માણને લઈને મોટુ નિવેદન કર્યું છે. ઉમા ભારતીના મતે જો નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી રહેતા અને યોગી આદિત્યનાથ યૂપીના સીએમ રહેતા પણ રામ મંદિરનો રસ્તો નહીં નિકળે તો લોકોને આ વાત પર આશ્ચર્ય થશે. ઉમા ભારતીએ એ પણ કહ્યું હતું કે મંદિર નિર્માણનો રસ્તો સહમતીથી બની શકે છે. કેટલીક પાર્ટીઓએ આ કામમાં ઘાત લગાવીને બેસવું જોઈએ નહીં.
ભોપાલ પહોંચેલા ઉમા ભારતીએ મધ્ય પ્રદેશની કમલનાથ સરકારને ચેતાવણી આપી છે. ઉમા ભારતીના મતે કોંગ્રેસ સરકાર ચાલશે કે નહીં બીજેપી તેનો આનંદ ઉઠાવશે નહીં. જોકે એટલું જરુર છે કે લોકોના હિતો પર વજ્રઘાત થયો તો તેની પાર્ટી તેની સામે લાઠી લઈને ઉભી થઈ જશે.
ઉમા ભારતીએ કહ્યું હતું કે વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસને વધારે સીટ ભલે મળી હોય પણ વોટ હજુ પણ બીજેપી પાસે વધારે છે. લોકતંત્રની આ સુંદર વિસંગતિ છે.
આ પહેલા મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે છીંદવાડામાં જાહેરાત કરી હતી કે હવેથી મુખ્યમંત્રી અને મંત્રી નહીં પણ અધિકારી સરકારી યોજનાની જાહેરાત કરશે. કામ સમયસર પૂરુ ન થાય તો અધિકારી જવાબદાર રહેશે.

Related posts

अरुणाचल प्रदेश में 6 उग्रवादी ढेर

editor

અકસ્માત થતા રસ્તા પર ઘાયલ પડ્યો હતો વ્યક્તિ, યોગીના મંત્રીએ બચાવ્યો જીવ

aapnugujarat

મહિલા અનામત બિલને કોંગ્રેસનું સમર્થન, ઝડપથી અમલ કરો : સોનિયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1