Aapnu Gujarat
ગુજરાત

અંકલેશ્વર પાસે બે લકઝરી બસો વચ્ચે અકસ્માતમાં ત્રણનાં મોત

ભરૂચ-સુરત નેશનલ હાઇવે પર અંકલેશ્વર પાસે ગંભીર અકસ્માત સર્જાયો છે. ભરૂચ અને સુરત નેશનલ હાઇવે પર અંકલેશ્વર પાસે બે ખાનગી બસ સામ-સામે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ૩ લોકોના મોત થયા છે. અકસ્માત એટલો ગંભીર હતો કે મુસાફરોની ચીસો ગુંજી ઉઠી હતી.
ઘાયલોને હોસ્પિટલમાં ખસેડાયા છે.સુત્રોના જણાવ્યા મુજબ ભરૂચ-સુરત નેશનલ હાઇવે પાસે અંકલેશ્વર ખાતે ગંભીર અકસ્માત સર્જાયો છે.
બે ખાનગી ટ્રાવેલ્સ કંપનીની લક્ઝરી બસ મુસાફરોને લઇને મહારાષ્ટ્રથી રાજસ્થાનના મરાડ જઇ રહી હતી. પરંતુ એ પહેલા અંકલેશ્વર પાસે અકસ્માત સર્જાયો હતો.
અંકલેશ્વર પાસે આવેલ ખરોડ નજીક સામેથી આવી રહેલી એક લક્ઝરી બસના ચાલકે કાબૂ ગુમાવતા બનેં બસો વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માત એટલો દર્દનાક હતો કે બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરોની દર્દનાક ચીસોથી ગુંજી ઉઠ્યું હતું.મહત્વપૂર્ણ છે કે લક્ઝરી બસો રોડની સાઇડ પરથી વરસાદી કાંસમાં ઉતરી ગઇ હતી. આ અકસ્માત બાદ ઇજાગ્રસ્તોને અકંલેશ્વર અને ભરૂચની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.

Related posts

अहमदाबाद में भी १० इंच बारिश : चारों तरफ जलभराव

aapnugujarat

દલપત વેગડાએ બાબાસાહેબ આંબેડકર ભવનનાં નિર્માણ માટે ૫૧ લાખ આપવાની જાહેરાત કરી

aapnugujarat

૫.૫૦ લાખની ડુપ્લિકેટ નોટ સાથે ૩ યુવકોને વલસાડ એસઓજીએ ઝડપ્યાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1