Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

૧૫૦૦ સીએનજી સ્ટેશન શરુ કરશે અદાણી ગ્રુપ

ભારતના મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રુપ અદાણી ગ્રુપ અને ફ્રાંસની એનર્જી કંપની ટોટલ એસએ દ્વારા ભારતમાં લિક્વિફાઈડ નેચર ગેસ ઈમ્પોર્ટ ટર્મિંનલ્સ અને ફ્યૂલ રિટોલિંગ નેટવર્ક વિકસિત કરવા માટે સમજૂતી કરવામાં આવી છે. આ સમજૂતી અંતર્ગત બંન્ને વ્યાપારી સમૂહ દેશમાં ૧૦ વર્ષની અંદર ૧૫૦૦ આઉટલેટ્‌સ એટલે કે સીએનજી સ્ટેશન સ્થાપિત કરશે.
ટોટલે થોડા સપ્તાહ પહેલા જ રોયલ ડચ શેલની આગેવાનીમાં ગુજરાતમાં બની રહેલા એલએનજી ટર્મિનલથી અલગ થવાની જાહેરાત કરી છે. આ કંપની હવે ઓડિશાના ધમારામાં ૫૦ લાખ ટન ક્ષમતા વાળી ઈમ્પોર્ટ ફેસેલિટિ વિકસિત કરવા માટે અદાણી ગ્રુપ સાથે હાથ મીલાવશે.
અદાણી અને ટોટલે સંયુક્ત રુપે જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું છે કે બંન્ને કંપનિઓ ૧૦ વર્ષ દરમિયાન દેશભરમાં ૧૫૦૦ આઉટલેટ્‌સની સ્થાપના કરશે જેમાં મોટાભાગના આઉટલેટ્‌સ હાઈવે પર હશે. જો કે બંન્ને કંપનીઓએ એ સ્પષ્ટતા નથી કરી કે આ ડીલના માધ્યમથી ટોટલ કેટલી ભાગીદારી ખરીદશે પરંતુ પ્રાપ્ત વિગતો અનુસાર આ એક શરુઆતી સમજૂતી છે અને જલ્દી જ આની વિગતો જાહેર કરવામાં આવશે.

Related posts

વડાપ્રધાન મોદીએ કોર્પોરેટ માંધાતાઓ સાથે કરેલી વાતચીત

aapnugujarat

પાંચ વર્ષમાં ભારત પણ બની શકે છે સિલિકોન વેલી : વર્લ્ડ બેંક

aapnugujarat

High tremors of earthquake in North India including Delhi-NCR

aapnugujarat

Leave a Comment

UA-96247877-1