સિનિયર અભિનેતા સંજય દત્ત એની આગામી ફિલ્મમાં મુંબઇના ભીંડીબજાર-મુહમ્મદ અલી રોડના એેક સમયના બેતાજ બાદશાહ કરીમ લાલાનો રોલ કરશે એવી જાણકારી મળી હતી. ૧૯૬૦ના દાયકાના અંધારી આલમના ડૉન હાજી મસ્તાન અને વરદરાજન મુદલિયારના ગુરુ ગણાતા કરીમ લાલાનો એેક સમયે ડંકો વાગતો હતો. ઇવન પોલીસ તંત્ર પણ એને છેડવાની હિંમત કરતું નહોતું. અફઘાનિસ્તાનના લડાયક ઝનૂન ધરાવતા પખ્તુન એવા કરીમ લાલા મુંબઇમાં અંધારી આલમની સુયોજિત ગેંગ્સ સ્થાપવાના નિમિત્ત ગણાય છે. આજનો બદનામ ડૉન દાઉદ ઇબ્રાહિમ એક સમયે કરીમ લાલાનો માણસ ગણાતો હતો.ફિલ્મ સર્જક અહમદ ખાનના સહાયક તરીકે કામ કરીને ઘડાયેલા ફિલ્મ સર્જક અદનાન શેખ હવે કરીમ લાલાની બાયો-ફિલ્મ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવાનું કહેવાય છે.
અત્યાર પહેલાં હાજી મસ્તાન (ફિલ્મ દિવાર), વરદરાજન મુદલિયાર (દયાવાન) અને અરુણ ગવલી (ડેડી ) અને હસીના પારકરની બાયોફિલ્મો આવી ચૂકી છે. હવે કરીમ લાલાની બાયો-ફિલ્મની તૈયારી ચાલે છે અને એ માટે સિનિયર અભિનેતા સંજય દત્તનો સંપર્ક સાધવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. જો કે હજુ સંજયે આ ફિલ્મ સ્વીકારી નથી કે ઔપચારિક રીતે કોઇ કરાર પર સહી સિક્કા કર્યા નથી. પરંતુ એને આ વાત ગમી હોવાનું કહેવાય છે.
આગળની પોસ્ટ