Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

શરિઅત જોઈતી હોય તેઓ પાકિસ્તાન જતા રહે : સાક્ષી મહારાજ

વિવાદાસ્પદ વિધાનો કરવા માટે પ્રખ્યાત ભાજપના સાંસદ સાક્ષી મહારાજે જણાવ્યું હતું કે જેને દેશમાં શરિઅત જોઇતી હોય, તેઓ પાકિસ્તાનમાં જાય.
કેટલાક પત્રકારોએ જ્યારે મહારાજને પૂછયું કે દેશમાં કેટલીક સંસ્થાઓ મુસ્લિમોના ખાનગી પ્રશ્ર્‌નોના નિકાલ માટે શરિયત કોર્ટ શરૂ કરવા માગે છે, ત્યારે એમણે જણાવ્યું હતું કે ભારત વિશ્ર્‌વનો સૌથી મોટો લોકશાહી દેશ છે. ભારતીય બંધારણ બહુ સશક્ત છે. જેને શરીઅત જોઇતી હોય એ પાકિસ્તાનમાં જાય. ભારત ફક્ત બંધારણ પ્રમાણે જ ચાલશે અને શરિઅત પ્રમાણે નહીં. મહારાજે જણાવ્યું કે જે લોકોને ભારતના બંધારણમાં શ્રદ્ધા ન હોય, એમને ભારતમાં રહેવાનો કોઇ હક નથી. એવા લોકોને વિદાય આપતા અમને આનંદ થશે.

Related posts

Fresh snowfall in Gulmarg, Pahalgam

aapnugujarat

लड़की से डर कर लड़का घर में कैद

aapnugujarat

ભારત, ચીન ૧૦ ડિસેમ્બરથી સંયુક્ત લશ્કરી કવાયત યોજશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1