વિવાદાસ્પદ વિધાનો કરવા માટે પ્રખ્યાત ભાજપના સાંસદ સાક્ષી મહારાજે જણાવ્યું હતું કે જેને દેશમાં શરિઅત જોઇતી હોય, તેઓ પાકિસ્તાનમાં જાય.
કેટલાક પત્રકારોએ જ્યારે મહારાજને પૂછયું કે દેશમાં કેટલીક સંસ્થાઓ મુસ્લિમોના ખાનગી પ્રશ્ર્નોના નિકાલ માટે શરિયત કોર્ટ શરૂ કરવા માગે છે, ત્યારે એમણે જણાવ્યું હતું કે ભારત વિશ્ર્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે. ભારતીય બંધારણ બહુ સશક્ત છે. જેને શરીઅત જોઇતી હોય એ પાકિસ્તાનમાં જાય. ભારત ફક્ત બંધારણ પ્રમાણે જ ચાલશે અને શરિઅત પ્રમાણે નહીં. મહારાજે જણાવ્યું કે જે લોકોને ભારતના બંધારણમાં શ્રદ્ધા ન હોય, એમને ભારતમાં રહેવાનો કોઇ હક નથી. એવા લોકોને વિદાય આપતા અમને આનંદ થશે.
આગળની પોસ્ટ