Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

શરિઅત જોઈતી હોય તેઓ પાકિસ્તાન જતા રહે : સાક્ષી મહારાજ

વિવાદાસ્પદ વિધાનો કરવા માટે પ્રખ્યાત ભાજપના સાંસદ સાક્ષી મહારાજે જણાવ્યું હતું કે જેને દેશમાં શરિઅત જોઇતી હોય, તેઓ પાકિસ્તાનમાં જાય.
કેટલાક પત્રકારોએ જ્યારે મહારાજને પૂછયું કે દેશમાં કેટલીક સંસ્થાઓ મુસ્લિમોના ખાનગી પ્રશ્ર્‌નોના નિકાલ માટે શરિયત કોર્ટ શરૂ કરવા માગે છે, ત્યારે એમણે જણાવ્યું હતું કે ભારત વિશ્ર્‌વનો સૌથી મોટો લોકશાહી દેશ છે. ભારતીય બંધારણ બહુ સશક્ત છે. જેને શરીઅત જોઇતી હોય એ પાકિસ્તાનમાં જાય. ભારત ફક્ત બંધારણ પ્રમાણે જ ચાલશે અને શરિઅત પ્રમાણે નહીં. મહારાજે જણાવ્યું કે જે લોકોને ભારતના બંધારણમાં શ્રદ્ધા ન હોય, એમને ભારતમાં રહેવાનો કોઇ હક નથી. એવા લોકોને વિદાય આપતા અમને આનંદ થશે.

Related posts

Mini bus falls in george at Shopian, 11 students including 9 girls died

aapnugujarat

ગળાડુબ પ્રેમના ભાગરૂપે સેક્સ સંબંધો રેપ નથી : મુંબઇ હાઇકોર્ટ

aapnugujarat

કસ્ટડી દરમિયાન વિંગ કમાન્ડર અભિનંદન પર ભારે અત્યાચાર કરવામાં આવતો હતો : અહેવાલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1