Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

ત્રણ થી પાંચ સરકારી બેંક હોવી જોઈએ : અરવિંદ સુબ્રમણ્યન

દેશનાં મુખ્ય આર્થિક સલાહકારનાં પદ પરથી વિદાય લઇ રહેલા અરવિંદ સુબ્રમણ્યનનું કહેવું છે કે ભારતીય બેંકિગ સેક્ટરમાં ફક્ત એક ડઝન બેંકોની જ જરૂરિયાત છે. એટલુ જ નહી તેમનું કહેવું છે કે આમા પણ સરકારી બેંકોની સંખ્યા પ્રમાણે ખાનગી બેંકોની સંખ્યા વધારે હોવી જોએ.
અરવિંદ સુબ્રમણ્યનનું કહેવું છે કે, “ભારતમાં ફક્ત ૩થી ૫ જ સરકારી બેંક હોવી જોઇએ. આ સિવાય પ્રાઇવેટ સેક્ટરની બેંક હોવી જોઇએ.” દેશમાં બેંકિગ ક્ષેત્રની સ્થિતિ વિશે સુબ્રમણ્યને કહ્યું કે, “દેશને વધારે સુધારાઓ કરવાની જરૂર છે. આપણે એ વિચારવાની જરૂરીયાત છે કે ગવર્નન્સમાં કેવી રીતે સુધારો લાવી શકાય અને તેમા ખાનગી સેક્ટરની ભાગીદારીમાં કેવી રીતે વધારો કરી શકાય.”
તેમણે કહ્યું કે, “એક સ્વસ્થ બેંકિગ સિસ્ટમ એ હશે જેમાં ૩થી ૫ સરકારી બેંકો અને ૩થી ૪ ખાનગી બેંકો હશે. આ સિવાય એક અથવા ૨ વિદેશી બેંકો હોવી જોઇએ.” નોટબંધીનાં નિર્ણયને લઇને તેમણે કહ્યું કે ત્રણ, ચાર કે પાંચ વર્ષ પછી તેની યોગ્ય સમીક્ષા કરી શકાશે.

Related posts

ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પર કોરોનાની ગંભીર અસર

editor

અદાણી ટ્રાન્સમિશન 8500 કરોડ રૂપિયા એકઠા કરશેઃ શેરહોલ્ડર્સે લીલી ઝંડી આપી

aapnugujarat

भारत और रूस के बीच रक्षा समेत अन्य क्षेत्र में हुए 15 समझौते

aapnugujarat

Leave a Comment

UA-96247877-1