ભારતીય કેપ્ટન વિરાટ કોહલી રવિવારે ઇંગ્લેન્ડની વિરુદ્ધ ત્રીજી અને નિર્ણાયક ટી૨૦ મેચમાં મળેલી જીત બાદ ખૂબ જ ખુશ જોવા મળ્યો. એને કહ્યું કે પડકારરૂપ પ્રવાસની શરૂઆત સીરિઝ જીતથી કરવી ખૂબ સારી રહી. કોહલીએ કહ્યું, ’અમારા બોલરોએ જોરદાર વાપસી કરી. એક સમયે અમને લાગતું હતું કે ઇંગ્લેન્ડ ૨૨૫-૨૩૦ રન બનાવી લેશે. પરંતુ અમારા ખેલાડીઓએ ચરિત્ર દેખાડ્યું અને મને એમની પર ગર્વ છે. અમે છેલ્લી ૧૦ ઓવરોમાં બેટ્સમેન પર દબાણ કર્યું. આ ફોર્મેટમાં ૨૫-૩૦ રન ખૂબ મહત્વપૂર્ણ થઇ જાય છે.’
વિરાટે કહ્યું કે પંડ્યા ખૂબ જ સારો ઓલરાઉન્ડર છે. એને પોતાની બેટિંગ અને બોલિંગ પર ખૂબ જ વિશ્વાસ છે. ચોગ્ગા-છગ્ગા બાદ એને જે રીતે ૪ વિકેટ લીધી એ વખાણવા લાયક છે. આમ તો રોહિત શર્માની શતક સ્પેશિયલ હતી, પરંતુ દિવસની સૌથી ઉલ્લેખનીય પ્રદર્શન તો હાર્દિક પંડ્યાએ કર્યું.
કોહલીએ કહ્યું કે પિચ પૂરી રીતે સપાટ હતી અને બોલરોને ખૂબ જ મુશ્કેલી થઇ રહી હતી. ઇંગ્લેન્ડ ૨૦૦ની નજીક પહોંચ્યું અને અને કેટલાક બોલ રહેતા જીત પ્રાપ્ત કરી. અમે આગળની મેચોમાં પણ ટીમ કોમ્બિનેશનમાં આ પ્રકારનો પ્રયોગ કરતાં રહીશું. હાર્દિક પંડ્યાએ ૩૮ રન પર ૪ વિકેટ લઇને કરિયરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. એના જવાબમાં ભારતના ૮ બોલ બાકી રહેતા ૩ વિકેટ ગુમાવીને લક્ષ્ય પ્રાપ્ત કર્યું. જ્યારે રોહિતે ૫૬ બોલમાં ૧૧ ચોગ્ગા અને ૫ છગ્ગાની મદદથી ૧૦૦ રન બનાવીને નોટઆઉટ રહ્યો. વિરાટે ૪૩ અને હાર્દિકે નોટઆઉટ ૩૩ રનોનું યોગદાન આપ્યું.
પાછલી પોસ્ટ