સુજલામ સુફલામ યોજના અંતર્ગત ગીર-સોમનાથ જિલ્લામાં તા. ૧લી મે થી જળસંગ્રહ મહા અભિયાન હાથ ધરાયું છે. મનરેગા યોજના ઉપરાંત વોટરશેડ તથા નગરપાલિકાઓ દ્વારા વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી છે. સુજલામ સુફલામ યોજનાનાં ભાગરૂપે ઉના તાલુકા માટે જીવાદોરી સમાન રૂપેણ નદી સાથે માઢગામ પાસેની શાખા-વોકળાને પુન:જીવીત કરવામાં આવશે. રૂા. ૧૦.૮૦ લાખનાં ખર્ચે જિલ્લા જળસ્ત્રાવ વિકાસ એકમ દ્વારા આ કામગીરીનો પ્રારંભ કરવામાં આવશે.
વરસાદી પાણીનો સંગ્રહ, જમીનનું ધોવાણ અટકાવવાં સાથે જમીનની ભેજ સરંક્ષણ ક્ષમતા વધારવા નદીનાં વોકળાઓને પુન:જીવીત કરવા આવશ્યક છે. મનરેગાની ટીમ સાથે જિલ્લા જળસ્ત્રાવ વિકાસ એકમ દ્વારા હાથ ધરાનાર આ કામગીરીથી માઢગામ, લેરકા, રાણાવશી, ભેભા, ચીખલી સહિતનાં ગ્રામ્ય વિસ્તારને લાભ થશે.
Report Bhaskar Vaidh (Somnath)