Aapnu Gujarat
ગુજરાત

ભરતસિંહ સોલંકીએ ૧૮૨ ઉમેદવારોને પત્ર લખ્યો, પક્ષ વિરુદ્ધ કામ કરનારા કાર્યકર્તાઓની માંગી માહિતી

કોંગ્રેસ પાર્ટીના આંતરિક અસંતોષને કારણે જ ગુજરાતમાં સરકાર બનાવવાનું કોંગ્રેસનું સપનું રોળાઈ ગયું છે. વિધાનસભા ચૂંટણી બાદ પક્ષે હવે બળવાખોરી પ્રવૃત્તિ કરનારા લોકો સામે આકરા પગલા લેવાનું નક્કી કર્યુ છે. મહત્વનું છે કે, વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કાર્યકર્તાઓને ચેતવણી આપી હતી કે પક્ષ વિરુદ્ધ કામ કરનારા કાર્યકર્તાઓ વિરુદ્ધ આકરા પગલા લેવાશે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ કોંગ્રેસના તમામ ૧૮૨ ઉમેદવારોને પત્ર લખી ચૂંટણી દરમ્યાન પક્ષ વિરોધી પ્રવૃતિ કરનારા લોકો અંગે રિપોર્ટ માંગ્યો છે.
આ રિપોર્ટ આવ્યા બાદ પક્ષની વિરૂદ્ધ કામ કરનારા કાર્યકર્તાઓ સામે પગલાં લેવામાં આવશે.  ભરતસિંહ સોલંકીએ લખેલા પત્રમાં પક્ષ માટે સારુ કામ કરનારા કાર્યકર્તાઓ અંગે પણ અભિપ્રાય માંગવામાં આવ્યો છે.  મહત્વપૂર્ણ છે કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પક્ષની શિસ્તનું ઉલ્લંઘન કરનારા સામે પગલાં ભરવા ટકોર કરી હતી.

Related posts

કડીમાં મૂશળાધાર વરસાદ

editor

आफ्रिकन डेवलपमेन्ट बैंक की बैठक में डेलिगेट्‌स को फाफडा, जलेबी, ढोकला खिलाया जाएगा

aapnugujarat

થરા નગર પાલિકા દ્વારા ‘‘નમામિ દેવી નર્મદે મહોત્સવ – ૨૦૧૯’’ નો કાર્યક્રમ રાણકપૂર ખાતે યોજાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1