Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

અલગાવવાદી નેતા મીરવાઇઝની સુરક્ષાદળે કરી ધરપકડ

અલગતાવાદી નેતા મીરવાઇઝ ઉમર ફારૂકની શુક્રવારનાં રોજ ધરપકડ કરવામાં આવી છે, જ્યારે તેઓ અલગતાવાદીઓ દ્વારા અનંતનાગમાં બોલાવવામાં આવેલ વિરોધ રેલીમાં શામેલ થવા માટે ઘરથી બહાર નીકળ્યા હતાં. હાલમાં મીરવાઇઝને ઘરમાં જ નજરકેદ કરવામાં આવ્યા છે.શુક્રવારનાં રોજ જ્યારે મીરવાઇઝ ઘરની બહાર નિગીન સ્થિત પોતાના ઘરથી બહાર નીકળ્યા, ત્યાં પહેલાથી જ હાજર સુરક્ષાબળોએ તેમની ધરપકડ કરી લીધી હતી અને ફરીથી તેમને ઘરમાં જ નજરકેદ કરી લીધા. તમને જણાવી દઇએ કે, અલગતાવાદીઓએ શુક્રવારનાં રોજ અનંતનાગમાં શહેરીજનોને એકજૂટ થવા માટે વિરોધ રેલીનું આયોજન કર્યું હતું. હુરિયત નેતાએ પહેલાથી જ ટિ્‌વટર પર ટ્‌વીટ કરીને અનંતનાગમાં જવાની ઘોષણા કરી દીધી હતી. તમને જણાવી દઇએ કે, અધિકારીયોએ અનતનાગ અને શ્રીનગર શહેરમાં કોઇ પણ પ્રકારની રેલીને રોકવા માટે છ પોલીસ સ્ટેસન વિસ્તારમાં કોઇએ રેલી ન નીકાળવાની ઘોષણા કરી હતી.

Related posts

धारा 370 के प्रावधानों को खत्म करना हमारा आंतरिक मामला : पीएम मोदी

aapnugujarat

स्कूल बसों में हो सिर्फ महिला कर्मचारीः प्रकाश जावड़ेकर

aapnugujarat

यूपी के एनकाउंटर्स का उद्देश्य राम राज्य स्थापित करना है : केशव प्रसाद मौय

aapnugujarat

Leave a Comment

UA-96247877-1