Aapnu Gujarat
Uncategorized

ધોરાજી બેઠક પાટીદાર મતદારોનું પ્રભુત્વ, કોંગ્રેસ અને ભાજપ બંને તરફથી પાટીદાર ઉમેદવાર

સૌ પ્રથમ વખત ધોરાજી બેઠક પર પાસના ઉમેદવાર પર કોંગ્રેસે પસંદગી ઉતારી છે. ત્યારે હારજીત આ મુદ્દા પર જ થશે. ધોરાજી ઉપલેટા વિધાનસભાની બેઠકમાં પાટીદાર મતદારોનું પ્રભુત્વ છે ભાજપે ધોરાજીમાં હરિભાઈ પટેલને ફરીથી ચૂંટણી મેદાનમાં ઉતારેલ છે.પાટીદાર અનામત આંદોલન પાસના કન્વીનર લલિતભાઈ વસોયાને ધોરાજી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જાહેર થયા છે. આ બેઠક પર પાટીદાર અનામત આંદોલનની મજબુત અસર છે. લલીત વસોયા આ આંદોલનમાં સક્રિય ભુમિકા ભજવી ચુક્યા છે તેનો ફાયદો લેવાની કોશિષ તેઓ કરશે.આ બેઠક પર ૨૦૧૨માં કોંગ્રેસના વિઠ્ઠલભાઇ રાદડીયાનો નજીવી સરસાઇ ૨૯૪૩ મતથી વિજય થયો હતો. ધોરાજીની બેઠક પર ઉમેદવારોને પાટીદાર ઈફેક્ટ, ધોરાજીના ખરાબ રસ્તા, આરોગ્ય સેવાઓ સહિતના પરિબળો ચૂંટણીમાં અસર કરશે.

Related posts

લોકોમાં રાષ્ટ્ર નિર્માણ માટે પહેલેથી એકજૂટતા : વેંકૈયા નાયડુ

aapnugujarat

વિજાપુર અલકા ઇન્સ્ટ્રીઝમાં બેરિંગ ડુપ્લિકેશન આક્ષેપ મામલો

editor

ઘેલા સોમનાથના શિવલિંગ પર સતત જળાભિષેક બંધ કરાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1