અર્બન હેલ્થ સેંન્ટર વેરાવળ દ્રારા જાલેશ્ર્વર સોસાયટી, સી-૧૦ આંગણવાડી ખાતે તા. ૨૮ ઓગષ્ટ નાં રોજ સર્વ રોગ નિદાન કેમ્પ યોજાશે. જેમાં દર્દીઓના આરોગ્યની તપાસ કરી દવા આપવામાં આવશે. આ કેમ્પમાં ડેંગ્યુ, સ્વાઈન ફ્લુ, મેલેરીયા, ચીકનગુનિયા, ઝાડા-ઉલ્ટી, ક્ષય, રક્તપિત, તાવ વગેરે રોગોના દર્દીઓને જરૂરી આરોગ્યલર્ક્ષી માર્ગદર્શન આપવામાં આવશે. તેમ અર્બન હેલ્થ ઓફિસર વેરાવળની યાદીમાં જણાવાયું છે.