Aapnu Gujarat
રાષ્ટ્રીય

ઝારખંઢના ગઢવામાં દલિત યુવતી પર વિધર્મી યુવકે ત્રણ દિવસ સુધી બળાત્કાર ગુજાર્યો

ઝારખંડમાં દલિત અને આદિવાસી સગીર છોકરીઓ પર બળાત્કાર અને સામૂહિક બળાત્કારની ઘટનાઓ સતત સામે આવી રહી છે. ફરી એકવાર માનવતાને શરમાવે તેવી ઘટના ગઢવાથી સામે આવી છે. અહીં એક દલિત યુવતીનું અપહરણ કરીને એક ખાસ સમુદાયના યુવક દ્વારા ત્રણ દિવસ સુધી બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. બળાત્કારની ઘટનાને અંજામ આપ્યા બાદ યુવતીને ધમકી આપીને છોડી દેવામાં આવી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે જિલ્લાના બરડીહા પોલીસ સ્ટેશન હેઠળના એક ગામમાંથી અનુસૂચિત જાતિની સગીર યુવતીના અપહરણનો મામલો ત્રણ દિવસ બાદ પ્રકાશમાં આવ્યા બાદ વિસ્તારમાં તણાવનું વાતાવરણ છે. આ સગીર બાળકી પર ત્રણ દિવસ સુધી બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આરોપી ઈર્શાદ ખાન વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં નામાંકિત કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે પીડિતાની અરજીના આધારે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. ઘટના સંદર્ભે પીડિતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત ૬ સપ્ટેમ્બરે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. તેણીએ જણાવ્યું કે, સાંજે સાત વાગ્યે તે શૌચાલયમાં ગઈ હતી, તે દરમિયાન ઈર્શાદ અને તેનો અન્ય એક સાથી મોઢું બાંધીને આવ્યા હતા અને મોં દબાવીને તેને મોટરસાઈકલ પર ક્યાંક લઈ ગયા હતા. રસ્તામાં તેણીએ તેના મોં પર કપડું બાંધ્યું જેના પછી તે બેહોશ થઈ ગઈ. જ્યારે તેને હોશ આવ્યો ત્યારે તે ઘરના એક રૂમમાં બંધ હાલતમાં હતી. જે બાદ ઈર્શાદે પરિવારના સભ્યોને મારી નાખવાનો ડર બતાવીને અને બંદૂકનો ડર બતાવીને અનેકવાર બળાત્કાર ગુજાર્યો હતો. પીડિતાના જણાવ્યા અનુસાર જ્યારે તેણે વિરોધ કર્યો તો તેની સાથે મારપીટ કરવામાં આવી. અપહરણના બે દિવસ બાદ તેને કહેવામાં આવ્યું હતું કે, તેની માતા સાથે વાત થઈ છે અને તને મારા માણસો તારા ગામમાં છોડી દેશે. જો તમારા પરિવારના સભ્યો આ વિશે પોલીસને કહેશે તો માતા સહિત બધાને મારી નાખશે. આ પછી ૯ સપ્ટેમ્બરના રોજ તેને લાલ રંગની કારમાં લાવવામાં આવી અને તેને બકોઈયા-મજિયાઓ બોર્ડર પર છોડી દીધો. તેની માતા ત્યાં પહેલેથી જ હાજર હતી કારણ કે તેની માતાને અપહરણકારોએ ત્યાં બોલાવી હતી. પીડિતાએ પોલીસ સ્ટેશનમાં આપેલી અરજીમાં વધુમાં લખ્યું છે કે, ત્યાં ઉતારી દીધા બાદ તે તેની માતા સાથે તેના મામાના ઘરે ગઈ હતી અને પરિવારના સભ્યોને ઘટનાની જાણ કરી હતી. તે ડરના કારણે ફરિયાદ નોંધી રહી ન હતી, પરંતુ પરિવારના સભ્યોના કહેવાથી તેણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પીડિતાએ જણાવ્યું કે કારમાં હાજર લોકો પાસે બંદૂક પણ હતી. આ મામલે પલામુના સાંસદ બીડી રામે કહ્યું કે આ સરકારમાં મહિલાઓ સુરક્ષિત નથી. આ સરકાર માત્ર તુષ્ટિકરણની રાજનીતિ કરે છે. સરકાર કોઈ પગલાં લેતી નથી, જેના કારણે આ લોકોનું મનોબળ વધી ગયું છે. આ મામલાને લઈને ગઢવાના એસપી અંજની જાએ કહ્યું કે બળાત્કારની ઘટના બની છે, પીડિતાની અરજી પર હ્લૈંઇ નોંધવામાં આવી છે અને પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.

Related posts

दिल्ली में चीनियों को अब नहीं मिलेगा होटल और गेस्ट हाऊस!

editor

અહેમદ પટેલની જીત છતાં અમિત શાહનું મિશન જારી

aapnugujarat

Delhi-NCR’s climate improved for the second consecutive day

aapnugujarat

Leave a Comment

UA-96247877-1