Aapnu Gujarat
Uncategorized

આપનો રોડ શો – કેજરીવાલ અને ભગવંત માનનો રોડ શો ટૂંકાવી દેવામાં આવ્યો, શું કારણથી ટૂકાવાયો

આપના બન્ને દિગ્ગજ નેતાઓ અરવિંદ કેજરીવાલ અને પંજાબના નવા જ બનેલા મુખ્યમંત્રી ભગવંત માન અા બન્ને આજે ગુજરાતના પ્રવાસે છે અને તેમના બન્નેનો ભવ્ય રોડ શો નિકોલ વિસ્તારમાં યોજાવા જઈ રહ્યો છે પરંતુ સમાચાર અેવા મળી રહ્યા છે કે રોડ શો બંનોનો ટૂંકાવી દેવામાં આવ્યો છે.

નિકોલ ઉત્તમ નગર પાસે આવેલા ખોડિયાર મંદિરથી રોડ શોની શરૂઆત બરાબર 4 કલાક થશે. દોઢ કલાકથી 2 કલાક જેટલો રોડ શો ચાલશે. જો કે આ પહેલા આ રોડ શો નિકોલ ગામ ખોડીયાર મંદિરથી શરૂ કરી ઠક્કરબાપા નગર બ્રિજના છેડા સુધી હતો. રોડ શો શા માટે ટૂંકાવવામાં આવ્યો તેને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.

દિલ્હીમાં અરવિંદ કેજરીવાલના ઘરે થયેલા હુમલા બાદ તેમની સુરક્ષા વધારવામાં આવી છે. આજે જ ગાંધી આશ્રમની બન્ને નેતાઓની મુલાકાતમાં ગાંધી આશ્રમમાં પણ 2 ડીસીપી અને એસપી સહિતના અધિકારીઓ બંદોબસ્તમાં હાજર હતા.
ગઈ કાલે બેનરો ઉતારી લેવાતા આપના કાર્યકર્તાઓ રોષે ભરાયા હતા. અસારવા વિસ્તારમાં જ રોડ શોના બેનરો ઉતારી લેવામાં આવ્યા હતા. આપના કાર્યકર્તાઓનું ગઈકાલે પ્રેસ કોન્ફરન્સમાં અેવું કહેવું હતું કે, બીજેપી બન્ને નેતાઓની એકસાથેની મુલાકાતમાં ભાજપ સરકાર ડરી ગઈ છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

Related posts

અમદાવાદનાં કેમ્પ હનુમાન મંદિરને રિવરફ્રન્ટ ખસેડવાના ર્નિણય સામે હાઇકોર્ટમાં અરજી

editor

મહેસાણા ખાતે જુદા જુદા ગુન્હાઓનો ભેદ ઉકેલતી મહેસાણા પોલીસ

editor

શ્રી સોમનાથ તીર્થધામમાં સતત 9′ માં વર્ષે બાપા સીતારામ સેવા મંડળ અમદાવાદના 350 જેટલા સેવકોએ શ્રમયજ્ઞ કર્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1