Aapnu Gujarat
ગુજરાત

એસ.ટી. બસો હવે પેટ્રોલ પંપ પર ડિઝલ પુરાવશે, રોજનું લાખો લિટરમાં ડિઝલ મુસાફરી દરમિયાન વપરાય છે, 1 કરોડનું ભારણ ઘટશે

એસ ટી બસના ડિઝલને લઈને નિગમે મહત્વનો નિર્ણય કર્યો છે. એસ.ટી. નિગરમી બસો હવેથી પોતાના નહીં પરંતુ બહારના પેટ્રોલ પંપ પર ડિઝલ પુરાવશે.

એસટી નિગમ અને ઓઈલ કંપની સાથે મળેલી બેઠક બાદ આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. બહાર પેટ્રાેલ પંપ પેટ્રોલ પુરાવાને લઈને ટેન્ડર બહાર પાડવામાં આવશે, જેમાં જે તે પેટ્રાેલ કંપનીઓ ડિસ્કાઉન્ટ આપશે તેમની પહેલા તના માટેની પસંદગી કરવામાં આવશે,

બહારના પેટ્રાેલ પંપ પર ડિઝાલ પુરાવતા 1 કરોડ રકમ બચશે તેવું તેમનું માનવું છે કેમ કે, આ પહેલા એસટી નિગમ પોતાના ડેપોમાં ડિઝલની વ્યવસ્થા કરતું હતું. 89 રૂપિયા આ પહેલા ડિઝલનો ભાવ હતો પરંતુ હવે 21 રૂપિયાનો વધારો થયો છે.

જેના કારણે 1 કરોડનું ભારણ વધ્યું હતું. ડેપોની નજીક જે કંઈપણ પેટ્રાલ પંપ હશે ત્યાં ડિઝલ પુરાવવામાં આવશે. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ એસ.ટી. નિગમની અંદર 6 લાખ લિટર જેટલુ ડિઝલ રોજનું જઈ રહ્યું છે. મોટી સંખ્યામાં લોકોની સવલતો માટે એસ.ટી. નિગમની બસો દોડાવવામાં આવી રહી છે. માટે આટલું ડિઝલ વપરાય છે.

Related posts

નર્મદાના ભચરવાડા ગામમાં મહિલા તલાટીને ગ્રામજનોએ બંધક બનાવ્યા

aapnugujarat

હિતુ કનોડિયાને ઈડર બેઠક પરથી ટિકીટ અપાતાં સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધ શરૂ

aapnugujarat

અમદાવાદમાં ટ્રાફિક અંગેની જાગૃતિ શિબિર યોજાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1