કેનેડા બોર્ડર પાસે ગુજરાતી પરીવારના મૃત્યુ બાદ ફરીથી આવી ઘટાના ના બને તેને લઈને રાજ્યની પોલીસ સક્રીય બની છે. પોલીસના વડા આશિષ ભાટીયાએ આ મામલે સક્રીયતા દાખવી છે. આશિષ ભાટીયાએ યુએસ અને કેનેડાની સુરક્ષા એજન્સી સાથે ચર્ચા કરી હતી.
ખાસ કરીને ગેરકાયદેસર રીતે વિદેશની બોર્ડર ક્રાેસ કરવાના હ્યુમન રેકેટ અટકાવવા માટેની ચર્ચા તેમણે આ બન્ને દેશોની એજન્સીઓ સાથે કરી હતી.
જાન્યુઆરી મહિનામાં કલોલના ડિંગુચામાં પટેલ પરીવારના સભ્યોનું કેનેડાની બોર્ડર ઠંડીમાં થીજી જવાથી મોત નિપજ્યુ હતું. આ ઘટના ઘણી ચર્ચામાં રહી હતી કેમ કે, અમેરીકા જવા માંગતા આ પટેલ પરીવારનું પ્રાણ પંખેરું વિખેરાઈ ગયું હતું.
ગેરકાયદેસર રીતે વિદેશમાં પ્રવેશ કરવાના હેતુસર બોર્ડર ક્રાેસ કરવા માટે જતા હતા જેના કારણે તેમનો પરીવાર બરફમાં થીજાઈ ગયો હતો જાન્યુઆરી મહિનામાં આ ઘટના બની હતી. દેશભરમાં આ ઘટનાએ ચકચાર મચાવ્યો હતો ત્યારે સીઆઈડી ક્રાઈમને આ અંગેની તપાસ પણ સોંપવામાં આવી હતી. ત્યારે ફરી આવું ના બને તેને લઈને ડીજીપી આશિષ ભાટીયાએ વિદેશોની એજન્સીઓ સાથે વાતચીત કરી હતી.