Aapnu Gujarat
રાષ્ટ્રીય

ઘાટકોપર મકાન હોનારતના પીડિતોને પીએમ મોદી તરફથી આર્થિક મદદ

પૂર્વ મુંબઈના ઘાટકોપર (વેસ્ટ) ઉપનગરસ્થિત સાઈ દર્શન બિલ્ડિંગ જમીનદોસ્ત થવાથી માર્યા ગયેલાઓનાં પરિવારજનો કે નિકટનાં સ્વજનોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આર્થિક સહાયની જાહેરાત કરી છે.વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ) દ્વારા ટ્‌વીટ કરીને જાહેરાત કરવામાં આવી છે કે તે મકાન દુર્ઘટનામાં માર્યા ગયેલા પ્રત્યેક જણના સ્વજનને રૂપિયા બે લાખ વળતર પેટે ચૂકવવામાં આવશે.પીએમઓની ટ્‌વીટ્‌સમાં વડાપ્રધાન મોદી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ઘાટકોપરની દુર્ઘટનામાં ઘાયલ થયેલા દરેક જણને રૂ. ૫૦ હજારની રકમ ચૂકવવામાં આવશે.ગઈ ૨૫ જુલાઈએ ઘાટકોપર (વેસ્ટ)માં લાલબહાદુર શાસ્ત્રી માર્ગ પર આવેલી ચાર-માળની સાઈ દર્શન ઈમારત જમીનદોસ્ત થઈ ગઈ હતી. એમાં ૧૭ જણ માર્યા ગયા છે.

Related posts

बिना कुछ किए ही इमरान खान दुनिया में हमें प्रसिद्धि दिला रहे हैं : RSS

aapnugujarat

આધાર સંબંધિત કેસમાં ૧૮મીથી સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ

aapnugujarat

राम मंदिर के लिए चंदा एकत्र करने की मुहिम की आड़ में होगा चुनाव प्रचार : शिवसेना

editor

Leave a Comment

UA-96247877-1