પંજાબમાં આગામી વર્ષે યોજનાર વિધાનસભા ચુંટણી પહેલા રાજકીય પક્ષો વચ્ચે આરોપ પ્રત્યારોપનો દૌર ચાલી રહ્યો છે.વિધાનસભા ચુંટણીની તૈયારીઓમાં લાગેલ આમ આદમી પાર્ટી જીતનો દાવો કરી રહી છે.આમ આદમી પાર્ટીના સાંસદ અને પંજાબ એકમના પ્રમુખ ભગવંત માને દાવો કર્યો છે કે પંજાબની કોંગ્રેસ સરકારના થોડા દિવસો બાકી રહ્યાં છે આથી પાર્ટીના અનેક મોટા નેતા રાજયને લુંટી રહ્યાં છે તેમણે કહ્યું કે અમે કોઇ પણ બેઇમાન નેતાઓને અમારી પાર્ટીમાં સામેલ કરીશું નહીં
દરમિયાન આપના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પંજાબને સાફ અને ઇમાનદાર સરકાર આપવાનો દાવો કર્યો છે.ભગવંત માને ટ્વીટમાં કહ્યું છે કે કોંગ્રેસ સરકાર જનાર છે ફકત એક મહીનો બાકી રહ્યો છે આથી તેના મોટા નેતા પંજાબને લુંટી રહ્યાં છે અમે કોઇ પણ બેઇમાન નેતાને અમારી પાર્ટીમાં સામેલ કરીશું નહીં
કેજરીવાલે માનના ટ્વીટને રિટ્વીટ કરતા લખ્યું કે પંજાબમાં કેટલાક મહીના બાદ આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઇ રહી છે.આથી બીજા પાર્ટીઓના અનેક નેતા આમ આદમી પાર્ટીમાં સામેલ થવા માટે આવી રહ્યાં છે.પરંતુ અમે કોઇ પણ સ્થિતિમાં ભ્રષ્ટાચારી અને ક્રિમિનલ નેતાને પાર્ટીમાં સામેલ કરીશું નહીં પંજાબમાાં સાફ સુધરી અને ઇમાનદાર સરકાર આપીશું