Aapnu Gujarat
રાષ્ટ્રીય

અમરિંદર સિંહે કરી નવી પાર્ટી બનાવવાની જાહેરાત

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસનું ૫ વર્ષ જૂનું ઘોષણાપત્ર જાહેર કર્યું હતું. આ સાથે જ તેમણે જણાવ્યું કે, તેમના કાર્યાલયમાં કેટલું કામ થયું છે. તેમણે કહ્યું કે, પંજાબમાં ઘણું કામ કરવામાં આવ્યું છે. તેમણે મેનિફેસ્ટોનું ૯૨ ટકા કામ પૂર્ણ કર્યું છે અને અમુક કામ એવા હતા જે પૂરા નહોતા થઈ શકતા.પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે નવી પાર્ટી બનાવવાની જાહેરાત કરી છે. જાેકે તેમણે કહ્યું કે, અત્યારે પાર્ટીનું નામ નહીં કહી શકાય કારણ કે, હાલ મને પણ નથી ખબર. વકીલો ચૂંટણી પંચ સાથે વાત કરી રહ્યા છે અને જ્યારે આયોગ સિમ્બોલ અને પાર્ટીનું નામ કન્ફર્મ કરી આપશે ત્યાર બાદ તમારા સાથે શેર કરવામાં આવશે. આ ઉપરાંત કેપ્ટન અમરિંદર સિંહે કોંગ્રેસ હાઈકમાનને પણ જવાબ આપ્યો હતો. ૧૮ પોઈન્ટ પ્રોગ્રામ પર તેમણે કહ્યું કે, અમે સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સાથે બેસીને બતાવી દીધું હતું કે, શું કામ કર્યું છે.

Related posts

भारत एक हिंदू राष्ट्र नहीं है और ना ही कभी बन पाएगा : ओवैसी

aapnugujarat

अमरनाथ यात्रा : २९००० से ज्यादा लोगों ने दर्शन किए

aapnugujarat

બિહારમાં નીતીશ ‘નો ફેક્ટર’, કન્હૈયા સાથે મારી કોઈ તુલના નહીં : તેજસ્વી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1