કેરળમાં ફરી એકવાર વરસાદે આફત સર્જી છે.કેરળમાં ભારે વરસાદે પૂરની સ્થિતિ સર્જી છે.જેને કારણે કેરળના પાંચ જીલ્લા પાણીમાં ગરકાવ થઈ ગયા છે.દક્ષિણ અને મધ્ય કેરળમાં ભારે વરસાદને કારણે પુરની સ્થિતિ સર્જાઈ છે.ભારે વરસાદથી પ્લાપલ્લીમાં ભૂસ્ખલન પણ થયું હતું જેને કારણે ઘણા લોકો ઘાયલ થયા છે અને કેટલાય લોકોગુમ થયા છે તેમંજ ૧૦ થી વધુ લોકોના મોતના સમાચાર છે.હાલ રેસ્ક્યુ ટીમ અને એડીઆરએફ ની ટીમ કામે લાગી ગઈ છે.ત્યારે વિકટ સ્થિતિમાં સરકારે મદદ માટે પૂરી સહેમતી દર્શાવી છે. કોટ્ટાયમ, પથનમથિટ્ટા, એર્નાકુલમ, ઇડુક્કી અને ત્રિશૂરમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તિરુવનંતપુરમ, કોલ્લમ, અલાપ્પુઝા, પલક્કડ, મલાપ્પુરમ, કોઝીકોડ અને વાયનાડમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
આગળની પોસ્ટ