આજથી નવલા નોરતાનો પ્રારંભ થઇ રહ્યો છે.માં અંબાની આરાધના નવ દિવસ અખંડ દીપ પ્રગટાવી કરવામાં આવે છે.ત્યારે આ વર્ષે એક નોરતામાં ઘટ છે.કોરોનાને ધ્યાન રાખી ગત વર્ષ ગરબા મોકુફ રાખવામાં આવ્યા હતા. પરંતુ આ વર્ષે સરકાર શ્રીની ગાઈડલાઈન્સ સાથે શેરી ગરબાને મંજુરી આપી છે.આ આદેશ થી ગરબા ના રસિયાઓ માં ભારે આનંદની લાગણી જોવા મળી હતી.પરંતુ કોરોના ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ફક્ત ૪૦૦ લોકો સુધી સીમિત રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. ત્યારે તંત્ર દ્વારા શેરી ગરબામાં પણ તમામ કોમર્શિયલ એકમો અને સોસાયટીના જવાબદાર લોકોએ વેક્સિનેશન સર્ટિફિકેટ ચેક કરવાનું રહેશે. હવે શોપિંગ મોલ ,થીયેટરો, ક્લબ, ધાર્મિક સ્થળો, પર્યટક સ્થળો વગેરે જગ્યા એ વેક્સીનેશન સર્ટિ. બતાવવાનું રહેશે.