Aapnu Gujarat
બિઝનેસ

FPI દ્વારા જુલાઈ માસમાં ૧૫,૦૦૦ કરોડ ઠલવાયા

વિદેશી મુડીરોકાણકારોએ મુડીબજારમાં આ મહિનામાં હજુ સુધી ૨.૪ અબજ ડોલરની રકમ અથવા તો ૧૫૩૪૮કરોડ રૂપિયાની રકમ ઠાલવી દીધી છે. જીએસટીને અમલી બનાવી દેવામાં આવ્યા બાદ વિદેશી રોકાણકારો આશાવાદી દેખાઇ રહ્યા છે. કોર્પોરેટ કંપનીઓના સારા પરિણામની આશા પણ દેખાઇ રહી છે. આની સાથે જ આ વર્ષે વિદેશી રોકાણકારોએ મુડી બજાર(ઇક્વિટી-ડેબ્ટ)માં ૧.૬૩ લાખ કરોડ અથવા તો ૨૫ અબજ ડોલરની રકમ ઠાલવી દીધી છે. જાણકાર લોકોનુ કહેવુ છે કે વિદેશી મુડી પ્રવાહનો દોર જારી રહી શકે છે. નવેસરના આંકડા મુજબ ત્રજી જુલાઇથી ૨૧મી જુલાઇ વચ્ચેના ગાળામાં એફપીઆઇ દ્વારા ઇક્વિટીમાં ૨૯૭૭ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા છે. જ્યારે ડેબ્ટ માર્કેટમાં સમીક્ષા હેઠળ ૧૨૩૭૧ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા છે. વર્ષ ૨૦૧૯ની સામાન્ય ચૂંટણી પહેલા સત્તામાં ગાળા દરમિયાન વિકાસ અને આર્થિક પ્રવૃતિ ઝડપી બનતા વિદેશી રોકાણકારો ભારે ખુશ દેખાઇ રહ્યા છે. હાલમાં જ યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની શાનદાર જીત સહિત કેટલાક પરિબળના કારણે તેજી રહી છે. છેલ્લા પાંચ મહિના (ફેબ્રુઆરી-જુન)માં ૧.૬૨ લાખ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા બાદ આ રકમ ઠાલવી દેવામાં આવી છે. માર્કેટ નિષ્ણાતો માની રહ્યા છે કે, જીએસટી વ્યવસ્થા અમલી બન્યા બાદ હવે વધારે રોકાણ આવશે.મૂડીરોકાણકારો માની રહ્યા છે કે, જીએસટી અમલી બની ગયા બાદ ભારતમાં રોકાણની ગતિ વધી જશે. બીજી બાજુ ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં ભાજપની જીત સહિત કેટલાક હકારાત્મક પરીબળો વચ્ચે ફેબ્રુઆરી-એપ્રિલના ગાળા દરમિયાન નેટ ઈનફ્લોનો આંકડો ૯૪૯૦૦ કરોડ રૂપિયા રહ્યો હતો. આ પહેલા આવા રોકાણકારોએ જાન્યુઆરી મહિનામાં ૩૪૯૬ કરોડ રૂપિયા ડેબ્ટ માર્કટમાંથી પાછા ખેંચી લીધા હતા. ઉત્તરપ્રદેશ ચૂંટણી સહિત પાંચ રાજ્યોમાં થોડાક સમય પહેલા યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને શાનદાર સફળતા મળ્યા બાદ વિદેશી મૂડીરોકાણકારો હાલમાં અતિઉત્સાહિત દેખાઈ રહ્યા હતા અને મૂડી બજારમાં જંગી નાણા ઠાલવી રહ્યા હતા. ઓક્ટોબર અને જાન્યુઆરી મહિનામાં એફપીઆઈ દ્વારા અભૂતપૂર્વ રકમ પાછી ખેંચી લેવામાં આવ્યા બાદ ફરી એકવાર ઉલ્લેખનીય પ્રવાહ જોવા મળી રહ્યો હતો.મૂડીરોકાણકારો માની રહ્યા છે કે, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં એનડીએની અભૂતપૂર્વ જીત થયા બાદ સરકાર વધુ કઠોર અને સાહસી સુધારાવાદી નીતિ સાથે આગળ વધશે. ફેબ્રુઆરીમાં ઇક્વિટી અને ડેબ્ટ માર્કેટમાં ૧૫૮૬૨ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા હતા. આ પહેલા એફપીઆઈ દ્વારા ઓક્ટોબર ૨૦૧૬ અને જાન્યુઆરી ૨૦૧૭ વચ્ચેના ગાળામાં ૮૦૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા હતા.જુદા જુદા કારણોસર વિદેશી રોકાણકારો હાલમાં ઉત્સાહિત દેખાઇ રહ્યા છે.

Related posts

કોલ માઇન પ્રોજેક્ટ માટે અદાણીને લોન આપવા સંદર્ભે એસબીઆઇ અવઢવમાં

editor

Urjit Patel को मिली बड़ी जिम्मेदारी

editor

सैमसंग इंडिया ने 1000 लोगों की छंटनी की खबर का किया खंड़न

aapnugujarat

Leave a Comment

UA-96247877-1