Aapnu Gujarat
મનોરંજન

મિથુન ચક્રવર્તી કોરોના સંક્રમિત

બંગાળની ચૂંટણીમાં ભરપૂર પ્રચાર કરનારા બોલીવૂડના દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તી પણ કોરોનાથી સંક્રમિત થયા છે.હાલમાં તેઓ આઈસોલેશનમાં છે. મિથુન ચૂંટણી પહેલા જ ભાજપમાં જોડાયા હતા અને એ પછી તેમણે ભાજપના ઉમેદવારો માટે પ્રચાર કરવામાં કોઈ કસર બાકી રાખી નહોતી. જોકે બંગાળમાં ચૂંટણી સભાઓમાં લાખોની ભીડના પગલે હવે કોરોના સંક્રમણ વધી રહ્યુ છે ત્યારે ચૂંટણી પ્રચાર કરનારા નેતાઓ અને ઉમેદવારો પણ કોરોનાના સપાટામાં આવી રહ્યા છે. કોંગ્રેસ અને ટીએમસીના એક-એક ઉમેદવારનુ કોરોનાના કારણે મોત પણ થયુ છે.બંગાળમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫૯ લોકોના મોત થયા છે અને સંક્રમણનો આંકડો ૧૬૦૦૦ પર પહોંચ્યો છે. મિથુન પહેલા ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રીયો પણ કોરોના પોઝિટિવ થયા છે. દરમિયાન ચૂંટણી પંચે ૨ મેના રોજ જાહેર થનારા પરિણામ બાદ વિજય રેલીઓ કાઢવા પર પ્રતિબંધ મુકી દીધો છે.

Related posts

મલાઇકા સાથે હાલમાં લગ્ન કરશે નહીં : અર્જુન

aapnugujarat

उद्धव सरकार पर कंगना का निशाना, कहा – गुंडों ने बार-रेस्टोरेंट्स खोले हुए हैं पर मंदिर नहीं

editor

સોફિયા વરગારા હવે ફિલ્મ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1