Aapnu Gujarat
ગુજરાત

ગુજરાત સરકાર લવ જેહાદને નાથવા ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક રજૂ કરશે

ગુજરાતમાં લવ જેહાદના મુદ્દે ગુજરાત સરકાર વિધાનસભા ગૃહમાં બિલ રજૂ કરશે. ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક ૨૦૨૧ રજૂ કરવામાં આવશે. આ બિલ દ્વારા બળજબરી પૂર્વક ધર્મ પરિવર્તન પર પ્રતિબંધ મુકવામાં આવશે. આ વિધેયકમાં પાંચ વર્ષ સુધીની સજા અને ૨ લાખ રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી છે.
સગીર સાથેના ગુનામાં સાત વર્ષ સુધીની સજા કરવામાં આવશે અને ૩ લાખ રૂપિયાનો દંડ કરવામાં આવશે. આ સાથે અનુસૂચિત જાતિ અને જનજાતિની સ્ત્રી સાથેના ગુનામાં પણ સાત વર્ષની સજા થઈ શકે છે. કાયદાની અધિનિયમ ૩, ૪ અને ૭માં સુધારો કરવામાં આવશે.
વર્ષ ૨૦૦૩માં ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારો અમલી હતો. પરંતુ તેમાં ઘણા બધા મુદ્દાઓમાં સુધારો કરવામાં આવ્યો છે. કાયદાની અધિનિયમ ૩,૪ અને સાતમાં સુધારો કરવામાં આવશે. આ સુધારા વિધેયકમાં ધર્મપરિવર્તનમાં ૩-૫ વર્ષની સજા અને ૩ લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે.
અનુસૂચિત જાતિ અને જનજાતિના ધર્મપરિવર્તનમાં સાત વર્ષની સજા અને ૩ લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. વિધાનસભા ગૃહમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા આ સુધારા વિધેયકને થોડા સમયમાં રજૂ કરવામાં આવશે.

Related posts

ભારતીય જનતા પાર્ટી અનુસુચિત જાતિ મોરચા દ્વારા ઋણસ્વિકાર અભિવાદન કાર્યક્રમ યોજાયો

aapnugujarat

ગાંધીનગર સિવિલમાં બેડનું વેચાણ થતું હોવાનું ખુદ સુપ્રિટેન્ડેન્ટે સ્વીકાર્યું

editor

રાજસ્થાન સરહદે પાક. સેના ભારતીય દળોની મોટા પાયે રેકી કરી રહી છે : બીએસએફ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1