અભિનેત્રી વાણી કપુરને પણ હવે ફિલ્મો હાથ લાગી રહી નથી. જો કે તે મોટા સ્ટાર સાથે કામ કરવાનુ સપનુ ધરાવે છે. તમામ પ્રકારની કુશળતા હોવા છતાં સારી અને મોટા બજેટની ફિલ્મો હાથ લાગી રહી નથી. બોલિવુડમાં તમામ સાથે તેના સારા સંબંધ રહ્યા છે. બોલિવુડની ફિલ્મોમાં ટકી રહેવા માટે તે વધારે સ્લીમ દેખાવવા માટે પ્રયાસ કરી રહી છે. આગામી દિવસોમાં મોટા અભિનેતાઓ સાથે કામ કરવાની તક મળી જશે તેવો આશાવાદ તે ધરાવે છે. બેફિક્રેમાં હાલમાં જ નજરે પડેલી અભિનેત્રીએ કહ્યું છે કે, તે ઇચ્છે છે કે અફવા સાચી પડે અને તે આગામી સમયમાં બોલીવુડના સુપરસ્ટાર શાહરુખ ખાન સાથે કામ કરી શકે. એક કાર્યક્રમમાં વાણી કપૂરે આ મુજબની વાત કરી છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, વાણી કપૂરને લઇને એક ફિલ્મ શાહરુખ ખાન સાથે બનાવવાની હિલચાલ ચોપડા દ્વારા હાથ ધરવામાં આવી છે. પોતાની આગામી ફિલ્મો અંગે પૂછવામાં આવતા ૨૮ વર્ષીય અભિનેત્રી વાણી કપૂરે કહ્યું હતું કે, કોઇપણ યોજના હજુ તૈયાર થઈ નથી. પટકથામાં હાલ તે અભ્યાસ કરી રહી છે. યુવા લોકપ્રિય સ્ટાર રણવીરસિંહ સાથેની પોતાની ફિલ્મના સંબંધમાં વાણીને વધુ પ્રશ્નો કરવામાં આવ્યા હતા. રણવીરની ભૂમિકાની પણ વાણીએ પ્રશંસા કરી હતી રણવીર સાથે બેફિકરે ફિલ્મમાં કામ કર્યા બાદ તે હવે આશાવાદી દેખાઇ રહી છે. વાણીકપુર આગામી સમયમાં મોટા નિર્માતા નિર્દેશક સાથે કામ કરવાની ઇચ્છા ધરાવે છે. જો કે હાલમાં તેની ઇચ્છા પૂર્ણ થાય તેવી શક્યતા ઓછી દેખાઇ રહી છે.
આગળની પોસ્ટ