યે જવાની હે દિવાની જેવી સફળ ફિલ્મ બનાવી ચુકેલા નિર્દેશક અયાન મુખર્જીએ રણબીર અને આલિયા દ્વારા અભિનિત ફિલ્મ ડ્રેગન પર હાલમાં કામ રોકી દીધુ છે. જો કે આ ફિલ્મ પડતી મુકવામાં આવી નથી. મળેલી માહિતી મુજબ ફિલ્મના બજેટને લઇને તકલીફ પડી છે. એવા અહેવાલ મળી રહ્યા છે કે અયાન રણબીરની સાથે ડ્રેગન નામની ફિલ્મ બનાવી રહ્યા હતા. જો કે ફિલ્મનુ બજેટ વધારે હોવાના કારણે ફિલ્મ રોકી દેવામાં આવી છે. ફિલ્મનુ શુટિંગ હાલમાં હાથ ધરવમાં આવ્યુ નથી. અયાન રણબીરની સાથે એક સુપરહિરો ફિલ્મ બનાવવાની યોજના પહેલા અયાન ધરાવતા હતા. હાલમાં રણબીર કપુર સંજય દત્તની લાઇફ પર બની રહેલી ફિલ્મમાં કામ કરી રહ્યો છે. આ ફિલ્મનુ શુટિંગ જોરદાર રીતે ચાલી રહ્યુ છે. સંજય દત્તની લાઇફ પરની ફિલ્મમાં વધારે ધ્યાન રણબીર હાલમાં આપી રહ્યુ છે. જેથી ડ્રેગન ફિલ્મ પર કામ હાલમાં અટવાયુ છે. હવે એવા હેવાલ આવી રહ્યા છે કે ભારે બજેટના કારણે ફિલ્મનુ શુટિંગ હાલમાં હાથ ધરવામાં આવી રહ્યુ નથી. સુપરહિટ ફિલ્મના કારણે ડ્રેગન પર એક્શન સીન પર વધારે ખર્ચ કરવામાં આવનાર છે. આ ફિલ્મનુ શુટિંગ આ વર્ષે જાન્યુઆરીમાં શરૂ થનાર હતુ. જો કે હવે શુટિંગ રોકી દેવામાં આવ્યુ છે. જુદા જુદા અન્ય કારણોસર પણ ફિલ્મને રોકવામા આવી રહી છે. ફિલ્મમાં રણબીર અને આલિયા ભટ્ટ કામ કરી રહ્યા છે.બજેટના કારણે આલિયા અને રણબીર કપુર કોઇ વાત કરી રહ્યા નથી. અયાન અને રણબીર કપુર વચ્ચેની મિત્રતા બોલિવુડમાં જાણીતી રહી છે.આલિયા ભટ્ટ બોલિવુડમાં નવી આશાસ્પદ સ્ટાર તરીકે ઉભરી રહી છે. રણબીર કપુર હાલમાં બોલિવુડમાં સૌથી વ્યસ્ત અને લોકપ્રિય સ્ટાર પૈકી એક છે. રણબીરની હાલમાં જગ્ગા જાસુસ ફિલ્મ રજૂ કરવામાં આવી ચુકી છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ