Aapnu Gujarat
ગુજરાત

વડોદરા જિલ્લાનો ૬૮મો વન મહોત્સવ ઉજવાશે

ગુજરાતના પનોતા સપૂત કનૈયાલાલ માણેકલાલ મુન્શી દ્વારા સ્થાપિત પરંપરાને આગળ ધપાવતા જિલ્લાના સામાજિક વનીકરણ વિભાગે ૬૮મા વન મહોત્સવની ઉજવણીનું આયોજન કર્યુ છે. તેના ભાગરૂપે વાઘોડિયા તાલુકાના ગજાધરા ગામે આવેલા ઓલ ગુજરાત ઇન્સ્ટીટ્યૂટ ઓફ ડ્રાઇવીંગ, ટેકનીકલ ટ્રેનિંગ અને રીસર્ચ ખાતે મુખ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ ગુરુવાર તા.૨૦/૦૭/૨૦૧૭ના રોજ સવારના ૧૦.૦૦ વાગે યોજવામાં આવ્યો છે. ખેલ રાજ્યમંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદી આ પ્રસંગે જિલ્લાવ્યાપી વૃક્ષારોપણ અભિયાન ૨૦૧૭નો શુભારંભ કરાવશે. કાર્યક્રમમાં અન્ન આયોગ અધ્યક્ષ ભૂપેન્દ્રભાઇ લાખાવાળા, સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્યશ્રીઓ, જિલ્લા કલેકટરશ્રી તેમજ જિલ્લા અને વન વિભાગના ઉચ્ચાધિકારીઓ વૃક્ષારોપણ કરશે.

Related posts

તેમના એજન્ડામાં શું છે તે અંગે ખુલાસો કરવા રાહુલને પડકાર અમિત શાહ

aapnugujarat

સાબરમતી નદી પરના વધુ પાંચ બ્રિજ પર જાળી લગાવવાની કામગીરી શરૂ

aapnugujarat

વયોવૃદ્ધ મહિલા સાથે પોલીસના અમાનવીય વર્તનથી ચકચાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1