અમેરિકન ન્યૂઝ પેપર ન્યૂયોર્ક ટાઈમ્સે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને આતંકી સંગઠન હિન્દુ યુવા વાહિનીનો વડો બતાવ્યો છે અને લખ્યું છે કે, દેશની સૌથી વધુ આબાદીવાળા રાજ્યમાં એક એવા મહંતને શાસન કરવા માટે પસંદ કરાયો છે, જે પહેલેથી જ નફરતભર્યા બોલ બોલી રહ્યો છે. અખબારની વેબસાઈટ પર હિન્દુસ્તાનમાં એક ફાયરબ્રાન્ડ હિન્દુ પૂજારી રાજનીતિક સીઢી ચઢે છે તેવા હેડિંગ સાથે લખાયેલા લેખમાં કહેવામાં આવ્યું છે કે, યોગી આદિત્યનાથને વધુ લોકો યોગી કહીને જ બોલાવે છે. યોગી એર કન્ડિન્શર યુઝ નથી કરતા, અને જમીન પર સૂઈ જાય છે. તેઓ અનેક રાત માત્ર સફરજન ખાઈને જ ચલાવે છે.
અખબારે લખ્યું કે, યોગીની ઓળખ એક એવા મંદિરના પૂજારીના રૂપમાં છે, જે આતંકવાદી હિન્દુ સર્વોચ્ચ જાતિવાદી પરંપરા માટે કુખ્યાત છે. તેમણે મુસલમાન શાસકો દ્વારા ઐતિહાસિક ભૂલોનો બદલો લેવા માટે યુવાઓની એક સેના (હિન્દુ યુવા વાહિની) બનાવી છે, જેનો હેતુ બે પગવાળા જાનવરોની ફસલને રોકવાનો છે. અખબારે લખ્યું કે, એક ઈલેક્શનની રેલીમાં બૂમો પાડીને તેમણે કહ્યું હતું કે, અમે તમામ ધાર્મિક યુદ્ધની તૈયારી કરી રહ્યાં છે.
અખબારે એમ પણ લખ્યું છે કે, દેશમાં વિકાસની વાત કહીને ત્રણ વર્ષ પહેલા દિલ્હીની સત્તા પર બેસનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસના એજન્ડાની જગ્યા હિન્દુત્વએ લઈ લીધી છે. ભારતને હિન્દુ રાષ્ટ્રમાં પરિવર્તિત કરવા માટે લોકલુભાવન અભિયાને મોદીના વિકાસના એજન્ડાને ડૂબોડી દીધા છે. દેશના ૧૭ કરોડ મુસલમાન આર્થિક અને સામાજિક હાસિયામાં જતા રહ્યા છે.
આગળની પોસ્ટ