બોલિવુડ અભિનેત્રી રાખી સાવંતે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગ આદિત્યનાથ પર શાબ્દિક હુમલો કર્યો છે. રાખી સાવંતે કહ્યુ કે, યોગીજી માત્ર હિન્દુઓની જ જય-જય નહિ ચાલે, તમે મુસલમાનોને ગાય-ભેંસનું માંસ ન ખાય તેવું કહેનારા કોણ છો. રાખીએ યોગી આદિત્યનાથની કાબેલિયત પર જ પ્રશ્ન ચિન્હ લગાવતા પૂછ્યું કે, ખબર નહિ તમે કેટલી ગાયને ઘાસ ખવડાવ્યુ છે કે તમે સીએમ બની ગયા. જ્યારે કે તમારી અંદર તો આવા કોઈ ગુણ નથી કે તમે આ ખુરશી પર બેસી શકો.યોગી પર હુમલો કરતા રાખી આટલે અટકી ન હતી. તેણે વધુમાં કહ્યું કે, ખબર નહિ પીએમ મોદીએ યોગીમાં શું જોયુ કે એક ગાય ચરાવનારાને સીએમ બનાવી દીધા. આ વાત રાખી સાવંતે મુંબઈમાં આયોજિત કોઈ કાર્યક્રમમાં કહી હતી. હંમેશા વિવાદોમાં રહેતી રાખી સાવંતે યોગી આદિત્યનાથે કહ્યું કે, જો તમે હિન્દુ છો તો બધાને હિન્દુ તો બનાવી શક્તા નથી. જે રીતે મુસલમાન તમારા ધર્મમાં હસ્તક્ષેપ નથી કરતા, તેમ તમે પણ તેમની બાબતોથી દૂર રહો. તમે તેમને એમ ન કહો કે તમે ગાય-ભેંસ ન ખાઓ. હિન્દુ લોકો મુસલમાનોને પથ્થર મારીમારીને જીવ લઈ રહ્યાં છે, આ ક્યાંનો ન્યાય છે યોગીજી.રાખી સાવંતે યોગી આદિત્યનાથને કહ્યું કે, અહી જે મુસલમાન છે, તે ભારતીય છે. જો તમે તેમને ભગાવી મૂકશો તો પાકિસ્તાનવાળા તેમને નહિ અવનાવે. કેમ કે, તે લોકો તેમને રેફ્યુજી માને છે. રાખી સાવંતે યોગી આદિત્યનાથને રાજનીતિમાં ટકી રહેવાની સલાહ આપતા કહ્યું કે, જો તમને આવનારા ૨૦ વર્ષો સુધી ખુરશી પર રહેવું હોય તો મુસલમાનોને સાથે લઈને ચાલો. માત્ર હિન્દુઓની જય-જય નહિ ચાલે.