Aapnu Gujarat
ગુજરાત

વડોદરામાં સયાજીરાવ ગાયકવાડની કરોડોની પ્રોપર્ટીને લઈને કોર્ટમાં રીટ કરાઈ

રાજવી પરિવારનાં સભ્ય ગણાવતાં કેટલાક સભ્યોએ વડોદરાના આખા ઈતિહાસને પડકારીને ચાર વર્ષ પૂર્વે રાજવી પરિવારના સભ્યો વચ્ચે થયેલી આશરે રૃ.૧ લાખ કરોડની મિલકતોની વહેંચણીને ગેરકાયદેસર ઠેરવવાની કોર્ટ પાસે દાદ માગતાં ખળભળાટ મચી ગયો છે. અરજદારે આ સઘળી પ્રોપર્ટીમાં ૫૦ ટકા હિસ્સાની માગણી કરી છે. કોર્ટમાં અરજી કરનારા સ્વ.ગોવિંદરાવ ગાયકવાડના વંશજોએ એવો દાવો કર્યો છે કે, સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા) પહેલાના રાજવીઓનાં અમે વારસદારો છીએ.બ્રિટીશ ગવર્મેન્ટે સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા)ની કાયદાની વિરુદ્ધ જઈને રાજવી પરિવારને દત્તક અપાવીને તાજપોશી કરી હતી. સયાજીરાવ ગાયકવાડ અને ત્યાર પછીના રાજવીઓ તો માત્ર એડમિનિસ્ટ્રેટર હતા. હકીકતમાં આ મિલકતો તો દામાજીરાવ ગાયકવાડ અને તેમનાં વંશજોએ વસાવી છે. પૂર્વ રાજવી ફતેસિંહરાવ પ્રતાપસિંહ રાવ ગાયકવાડે સ્પે. દિવાની મુ.નંબર ૧૪૯-૭૯ નંબરથી ઈન્દિરાબાઈ ગોવિંદરાવ ગાયકવાડના વારસ દિલજીતસિંહ વિજયરાવ ગાયકવાડ, પ્રતાપસિંહ વિજયરાવ ગાયકવાડ અને સત્યશીલા દેવી ગાયકવાડ (રહે, ચીમનબાગ પેલેસ, શાંતાદેવી ર્નિંસગ હોમ પાસે) સામે કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. જે દાવો ચાલી જતાં ચીમનબાગ પ્રોપર્ટીનો કબજો ફતેસિંહરાવ ગાયકવાડના વંશજ અને હાલના રાજવી સમરજિતસિંહ ગાયકવાડને સોંપવાનો હુકમ કર્યો હતો. ગોવિંદરાવના વારસદારો કોર્ટને જણાવી રહયાં છે કે, સયાજીરાવ ગાયકવાડ (બીજા) પછી તેમનાં પુત્ર મલ્હારરાવ ગાયકવાડ ગાદીપતિ બન્યાં હતા, પરંતુ બ્રિટીશ ગવર્મેન્ટે સને ૧૮૭૫માં મલ્હારરાવને પદભ્રષ્ટ કર્યાં હતા. મલ્હારરાવના ભાઈ ખંરેરાવ નિસંતાન હતા, જેથી જમનાબાઈ દ્વારા સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા)ને દત્તક લેવામાં આવ્યાં હતા અને અંગ્રેજ સરકાર દ્વારા સયાજીરાવ ગાયકવાડને કાયદાથી વિરુદ્ધ રાજા બનાવ્યાં હતા. સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા) અને ત્યાર પછી રાજગાદી સંભાળનારા રાજવીઓ માત્ર રાજ્યના વહિવટકર્તા હતા. તેમણે કોઈ મિલકત વસાવી નથી. બધી મિલકતો આગળના રાજવીઓ વસાવી હતી. હાલના રાજવી શ્રીમંત મહારાજા સમરજિતસિંહ ગાયકવાડ અને તેમનાં કાકા સંગ્રામસિંહ ગાયકવાડ અને કુટુંબના અન્ય મોભીઓ વચ્ચે ચાર વર્ષ પૂર્વે સને ૨૦૧૩માં લગભગ ૧ લાખ કરોડની અંદાજિત માર્કેટ વેલ્યુ ધરાવતી મૂવેબલ ઇમ્મૂવેબલ પ્રોપર્ટીની થયેલી વહેંચણી ગેરકાયદેસર રીતે થઈ છે. હકિકતમાં આ સઘળી પ્રોપર્ટીમાં અમારો પણ ૫૦ ટકા હિસ્સો છે. સમરજિતસિંહ ગાયકવાડે આ દાવા સંદર્ભમાં પ્રતિક્રિયા આપી હતી કે, દાવો કરનારા લોકોને કોઈ હક્ક કે અધિકાર નથી. સને ૨૦૧૩માં જ્યારે મિલકતોની વહેંચણી થઈ હતી. ત્યારે હાલનો દાવો માંડનારા સભ્યો પણ જોડાવા કોર્ટ પાસે ગયા હતા, પરંતુ અદાલતે તેઓને સ્વીકાર્યા ન હતા.

Related posts

वाघेला इफेक्ट : गुजरात कांग्रेस में राजकीय भूकंप : बलवंतसिंह राजपूत और तेजश्रीबहन और पीआई पटेल के कांग्रेस से इस्तीफा

aapnugujarat

સાબરમતીની જેલમાં દુષ્કર્મ કેસના કેદીએ આપઘાત કર્યો

aapnugujarat

પાનેલી મોટી સ્ટેશન પર ટિકિટ રિઝર્વેશન સુવિધા ફરી શરૂ

editor

Leave a Comment

UA-96247877-1