અછત રાહત સબ કમિટીના ચેરમેન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ૨ જિલ્લાઓના ૧૮ ગામોને અછત ગ્રસ્ત જાહેર કર્યા હતા. જો કે સમગ્ર રાજ્યમાં ૨૬ ટકાથી વધુ વરસાદ થતાં અછતની સ્થિતિ ન રહેતા સરકારે અછત ઉઠાવવાનો નિર્ણય કર્યો છે. જો કે ગૌશાળાઓ અને પાંજરાપોળોમાં માત્ર ૨ રૂપિયાના દરે ઘાસ વિતરણ આગામી ૧૫ દિવસ સુધી ચાલુ રાખવામાં આવશે.
મોરબી, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે થયેલા નુકશાનની સર્વેની કામગીરી હાથ ધરાઈ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં ભારે વરસાદને લીધે ૩૨ લોકોમાંથી ૨૫ વ્યક્તિઓના વીજળી પડવાથી અને અન્ય કારણોસર ૮ લોકોના મૃત્યુ થયાં છે. ભારે વરસાદમાં ૩૦૦ પશુઓના મોત નીપજ્યા છે. રાજ્ય સરકાર દ્વારા નિયમ મુજબ આર્થિક સહાય કરાશે.
આગળની પોસ્ટ