અષાઢી બીજને રવિવારે શહેરમાં ભગવાન જગન્નાથજીની ૧૪૦મી રથયાત્રા નીકળી હતી, જેમાં રથયાત્રા પુર્વે જગન્નાથ મંદિરમાં સવારે ૪ વાગે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને મંગળા આરતી કરી હતી અને હવે ફરી ૯ થી ૧૧ જુલાઈ ગુજરાતની ફરી મુલાકાતે આવશે. ભાજપાધ્યક્ષ અમિત શાહ ૯-૧૦ સંગઠન અને કોર કમીટીની બેઠકમાં હાજરી આપશે અન ચૂંટણીનો ધમધમાટ પ્રચાર શરૂ થશે.એક દિવસ આગાઉ ભાજપાધ્યક્ષ અમિત શાહ ઓડીશાની મુલાકાતે હતા જેમાં એમણે ચુંટણી પ્રચાર કહ્યું હતું, કે આ વખતે ઓડીશામાં સરકાર બને તે માટે નહિ પણ ૧૨૦ સીટથી વિજય થાય એ રીતે ચુંટણી લડીશું અને ઉમેર્યું હતું કે, ‘જ્યાં સુધી અમે (બાજપ) મુખ્યમંત્રીની શાપત ગ્રહણ નહિ કરીએ ત્યાં શુધી અમને આરામ કરવાનો અધિકાર નથી.’ભાજપાધ્યક્ષ અમિત શાહની ગુજરાત મુલાકાત પણ ગુજરાતનો ચુંટણી પ્રચાર છે અને ગુજરાતમાં અમિત શાહએ ૧૫૦ સીટથી વિજયની ઘોષણા કરી હતી અને ગુજરાતની ચુંટણીમાં ૧૫૦ સીટના લક્ષાંક માટે પ્રચાર કરશે.