Aapnu Gujarat
રાષ્ટ્રીય

તમિલનાડુમાં લોકડાઉન ૩૧ માર્ચ સુધી લંબાવાયું

કોરોના વાયરસના ચેપના કેસોમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને તમિલનાડુમાં લોકડાઉનનો સમયગાળો ૩૧ માર્ચ સુધી વધારવામાં આવ્યો છે. રાજ્ય સરકારે આ આદેશની સાથે કોરોના માર્ગદર્શિકાનું પાલન કરાવાની જવાબદારી જિલ્લા વહીવટીતંત્રને સોંપી છે. આવતા મહિને યોજાનારી વિધાનસભાની ચૂંટણીની વચ્ચે રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સરકારે લોકોને જરૂરી તમામ સાવચેતી રાખવાની સૂચના જારી કરી છે. તમિલનાડુમાં કોવિડના કેસોમાં અચાનક વધારો થયો છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોવિડ -૧૯ના ૫૨૧ નવા કેસ નોંધાયા છે. તે જ સમયે ૫ લોકોનાં મોત પણ થયાં છે. સોમવારથી દેશમાં કોરોના રસીકરણના બીજા તબક્કાની શરૂઆત સાથે ઘણા રાજ્યોમાં વધતા જતા કેસો ચિંતાનું કારણ બની રહ્યા છે.
તમિલનાડુ ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ સતત વધી રહેલા દર્દીઓને કારણે ભય વધ્યો છે. ઘણા વિસ્તારોમાં કર્ફ્યુનો સમયગાળો વધારવામાં આવ્યો છે. તામિલનાડુમાં અગાઉનો લોકડાઉન સમયગાળો ૨૮ ફેબ્રુઆરી સુધીનો હતો. નવા આદેશમાં કોઈ કડક નિયમ બનાવવામાં આવ્યો નથી, પરંતુ કેન્દ્ર સરકારની એડવાઈઝરીનું પાલન કરવાની સૂચના આપવામાં આવી છે. જરૂર પડે તો કલમ ૧૪૪ લાદવાની સૂચના પણ આપવામાં આવી છે.

Related posts

મોદી સરકારમાં ચૂંટણી પંચને નુકસાન થયું છે : રાહુલ

aapnugujarat

सरकार ने छोटी बचत योजनाओं पर ब्याज दर घटाई, नई दरें 1 जुलाई से होंगी लागू

aapnugujarat

દેશમાં કોરોના કેસમાં ઘટાડો જાેવા મળી રહ્યો છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1