Aapnu Gujarat
Uncategorized

ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ રાજ્યમાં સૌપ્રથમ ભાવનગર ખાતે નોંધાઈ એકસાથે ત્રણ ફરિયાદો

ભુમાફિયાઓ તથા જમીન પચાવી પાડનારા તત્વો પર અંકુશ મુકવા રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ-૨૦૨૦ અમલમાં મુકવામાં આવેલ છે જે કાયદા હેઠળ નાગરિકોની જમીન તથા માલિકીના હકોને રક્ષિત કરતી શુભ શરૂઆત ભાવનગરથી થઈ છે. ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ-૨૦૨૦ હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજ્યમાં સૌપ્રથમ ભાવનગર જિલ્લામાં આજરોજ એકસાથે જુદી જુદી ત્રણ એફ.આઈ.આર. દાખલ કરવામાં આવી છે જેમાં પ્રથમ ફરિયાદ માર્કેટિંગ યાર્ડ ભાવનગરની ૧૬૧ ચો.મી. જમીન પર શ્રી છત્રપાલસિંહ પરમાર દ્વારા છેલ્લા ૨૦ વર્ષથી પતરાનો શેડ બનાવી હોટલ લાયક માળખું ઉભું કરી જમીનનો કબજો ખાલી ન કરવા અંગેની સેક્રેટરીશ્રી મહારાજા સાહેબ કૃષ્ણકુમારસિંહજી ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિ દ્વારા નોંધાવવામાં આવી છે જ્યારે બીજી ફરિયાદ મહુવા ખાતેની સરકારી સર્વે નં ૧૩૨ પૈકીની ૫૦૦ ચો.મી. જમીનમાં સાટાખત કરીને રૂ.એક લાખ વસૂલી ખરીદ / વેચાણ કરેલ છે તે બાબતની હિતેશભાઈ હરસોરા તથા રજાકભાઈ વિરુદ્ધ સરકાર તરફથી નોંધાવવામાં આવી છે જ્યારે અન્ય ત્રીજી ફરિયાદ અકવાડાના સરકારી સર્વે નં.૧૦૬/૧ ની ૧૪૧૬ ચો.મી. જમીનમાં રાજેશ ઉર્ફે રાજુભાઇ નાનુભાઈ ખસિયા દ્વારા અનધિકૃત કબજો કરી તેમાં પ્લોટિંગ પાડીને નબળા વર્ગના લોકોને બિનઅધિકૃત વેચાણ કરેલ છે તે અંગેની સરકાર તરફે નોંધાવવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એકટ રાજ્યમાં અમલમાં આવ્યા બાદ ભાવનગર જિલ્લામાં જિલ્લા કલેકટર શ્રી ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં લેન્ડ ગ્રેબિંગ એકટ સમિતિની રચના કરવામાં આવી છે જેમાં મ્યુનિસિપલ કમિશનરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, પોલીસ અધિક્ષકશ્રી, બાડાના મુખ્ય કારોબારી અધિકારીશ્રી તથા અધિક નિવાસી કલેક્ટરશ્રીની બનેલી આ સમિતિ દ્વારા ગત તા. ૨૮ ના રોજ મળેલી બેઠકમાં ઉપરોક્ત તમામ અરજીઓ પરત્વે એફ.આર.આઈ. દાખલ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરવાનો નિર્ણય કરવામાં આવેલ છે.
ફરિયાદ નોંધાયા બાદ શુ કાર્યવાહી થશે ?
નાગરિકોની જમીન સુરક્ષિત રહે તેમજ અસામાજિક તત્વો કોઈની જમીન પચાવી ન પાડે તે માટે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ ૨૦૨૦ ને ખૂબ જ ઝડપી અને પારદર્શી બનાવવામાં આવ્યો છે.આ કાયદા હેઠળ નોંધવામાં આવેલ ફરિયાદની ચાર્જશીટ તપાસનીશ પોલીસ અધિકારીએ ૨૧ દિવસની અંદર કોર્ટમાં રજૂ કરવાની રહે છેે જ્યારે આ કાયદા હેઠળ બનાવવામાં આવેલ ખાસ કોર્ટમાં કેસ ચલાવી કોર્ટ દ્વારા માત્ર ૬ માસના ગાળામાં આરોપો બાબતે ત્વરિત નિર્ણય કરવાની જોગવાઈ કરવામાં આવી છે જ્યારે આરોપો સાબિત થશે તો આરોપીને ૧૦ થી ૧૪ વર્ષની સજા તેમજ જંત્રીની કિંમત મુજબની દંડની રકમની ભરવાની જોગવાઈ કરવામાં આવેલ છે. આ અંગે જિલ્લા કલેકટર શ્રી ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં પણ ભાવનગર જિલ્લામાં જમીન પચાવી પાડનારા શખ્સો તેમજ ભુમાફિયાઓ વિરુદ્ધ કડક હાથે તંત્ર દ્વારા કામ લેવામાં આવશે.
(અહેવાલ :- સુરેશ ત્રિવેદી, ભાવનગર)

Related posts

ધ્રાંગધ્રા સબજેલમાં એસઓજીનાં દરોડા

aapnugujarat

राजकोट में मां-पुत्र की ट्रेन के नीचे कूदकर आत्महत्या

aapnugujarat

गीरगढडा के जसाधार और गीर जंगल में ३ इंच बारिश

aapnugujarat

Leave a Comment

UA-96247877-1