જુનાગઢ મ્યુ. નાયબ કમિશનર પદેથી વેરાવળના પ્રાંત અધિકારી તરીકે નવનિયુક્ત થયેલ પ્રદીપસિંહ રાઠોડે સોમનાથ મહાદેવના દર્શન કરી તેમનો પદભાર ગ્રહણ કર્યો હતો. વર્ષ ૨૦૦૫ની બેચના પ્રદીપસિંહ રાઠોડ ગાંધીનગરના મ્યુ. નાયબ કમિશનર, કલોલ પ્રાંત અધિકારી તથા મહેસાણા જિલ્લા પંચાયત જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવી ચૂકેલ છે તેમજ ગીર-સોમનાથ જિલ્લા પુરવઠા અધિકારી તરીકે પણ ફરજ બજાવી છે. રાજ્ય સરકારે તેમની કામગીરીને અનુલક્ષીને વાયબ્રન્ટ ગુજરાત વખતે એક મહિના સુધી ગાંધીનગર ખાતે કામગીરી સોંપી હતી. સોમનાથ મંદિર ખાટે ટ્રસ્ટના નાયબ મેનેજર સુરૂભા જાડેજાએ તેમનું શાલ ઓઢાડી સ્વાગત કર્યું હતું. તેમને આવકારવા વેરાવળ-મામલતદાર દેવેનકુમાર આંબલીયા, સોમનાથ ટ્રસ્ટના ઉપેન્દ્ર કોદાળા, સિટી તાલુકા નટુભાઈ રતનધાયરા, ઉમેદશ દવે તથા સ્થાનિક ભાસ્કર વૈધ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતાં.
રિપોર્ટર :- મિનાક્ષી ભાસ્કર વૈધ (પ્રભાસપાટણ)