ઉત્તરાખંડમાં લીપુલેખ પાસ માટે નેપાળ સાથે અણબનાવ છે, ચીને ત્યાં પોતાના સૈનિકોની સંખ્યા વધારી દીધી છે. અહીં આવું સતત ત્રીજી વખત કર્યું છે. ભગવાન શિવનો કૈલાસ પર્વત અને માન સરોવર અહીંથી સાવ નજીક જ છે. લિપુલેખ પાસ (પાસ) ભારત, નેપાળ અને ચીન વચ્ચે ઉત્તરાખંડની કલાપાની ખીણમાં સ્થિત છે. ચીને ૧૫૦ લાઇટ કમ્બાઈન્ડ આર્મ્સ બ્રિગેડ બે અઠવાડિયાથી તૈનાત કરી છે. ચીની સૈનિકોને સરહદથી લગભગ ૧૦ કિલોમીટર દૂર પાલામાં તૈનાત કરવામાં આવ્યા છે. જુલાઇમાં જ ચીને પાલા નજીક આશરે ૧૦૦૦ સૈનિકોને તૈનાત કર્યા હતા. ચીનના પીએલએ દ્વારા ત્યાં કાયમી ચોકી પણ બનાવવામાં આવી હતી. ૧૫ દિવસ પહેલા આ જ વિસ્તારમાં ૨૦૦૦ થી વધુ વધારાના સૈનિકો તૈનાત કરવામાં આવ્યા હતા. લિપુલેખ તળાવ પાસે ૧૭,૦૦૦ ફૂટની ઉંચાઇએ ભારતના માર્ગ નિર્માણને લઈને નવી દિલ્હી અને કાઠમંડુ વચ્ચે તણાવ છે. આનું કારણ એ છે કે કાઠમંડુએ આ વિસ્તારને પોતાનો દાવો કર્યો છે.ભારત દ્વારા બનાવવામાં આવતા માર્ગ દ્વારા કૈલાસ માનસરોવરની મુલાકાતે જતા યાત્રાળુઓ માટે મુસાફરીનો સમય ઘટાડવામાં આવશે. નેપાળે તાજેતરમાં એક નવો રાજકીય નકશો બહાર પાડ્યો હતો જેમાં આ ક્ષેત્રને પોતાનો હોવાનું જણાવી રહ્યું હતું, જેના પર ભારતે સખત વાંધો ઉઠાવ્યો હતો.ચીને પણ વાસ્તવિક નિયંત્રણ રેખાના ત્રણ ક્ષેત્રો – પશ્ચિમ (લદ્દાખ), મધ્ય (ઉત્તરાખંડ, હિમાચલ) અને પૂર્વીય (સિક્કિમ, અરુણાચલ) માં સૈન્ય, તોપખાના અને સશસ્ત્ર વાહનો તૈનાત કર્યા છે. આ પહેલા ચીન ભારતના કેટલાંક પ્રદેશો પચાવી પાડ્યા છે જ્યાંથી તે હઠવાનું નામ લેતા નથી. ભારત રાજકીય રીતે નબળુ પૂરવાર થઈ રહ્યું છે જ્યાં સુધી લશ્કરી પગલું નહીં ભરવામાં આવે ત્યાં સુધી ચીન ભારતના પ્રદેશોને દબાવતું રહેશે.