Aapnu Gujarat
રાષ્ટ્રીય

હંદવાડામાં સેનાએ ૨ આતંકી ઠાર કર્યા

ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લાના હંદવાડા વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઇ હતી. આ અથડામણમાં લશ્કર-એ-તૈયબાના કમાન્ડર નસીરુદ્દીન લોન સહિત બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. લોન આ વર્ષની શરૂઆતમાં સીઆરપીએફના છ જવાનોની હત્યામાં સામેલ હતો.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, અથડામણ હંદવાડાના ગનિપોરા ક્રાલગુંડ વિસ્તારમાં થઇ હતી. જેમાં બે આતંકવાદીઓ ઠાર કરાયા હતા. કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક વિજય કુમારે જણાવ્યું હતું કે, માર્યા ગયેલા આતંકવાદીઓમાં એક નસીરુદ્દીન લોન હતો, જે સોપોરમાં ૧૮ એપ્રિલના રોજ સીઆરપીએફના ત્રણ જવાનોની હત્યામાં સામેલ હતો અને ૪ મેના રોજ હંદવાડામાં સીઆરપીએફના વધુ ૪ જવાનોની હત્યામાં સામેલ હતો.

Related posts

भारत को जल्द मिलेगी मॉडर्ना की कोरोना वैक्सीन : सीईओ स्टीफन बैंसल

editor

મંદિરની પરિક્રમા કરતા ૨૪૦૦ ફૂટ ઊંડી ખાઇમાં પડી ગયો યુવક, વીડિયો વાયરલ

aapnugujarat

MCI अधिनियम की जगह लाये जा रहे NMC विधेयक का मुद्दा DMK ने उठाया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1