Aapnu Gujarat
મનોરંજન

બાલાજી ટેલિફિલ્મ્સના ક્રિએટિવ હેડ પણ કોરોના પોઝિટિવ

પ્રોડ્યુસર એકતા કપૂરની સિરિયલ “કસૌટી ઝીંદગી કે”ના લીડ સ્ટાર પાર્થ સમથાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારબાદ હવે બાલાજી ટેલિફિલ્મ્સના ક્રિએટિવ હેડ તનુશ્રી દાસગુપ્તાનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તનુશ્રી અને તેની માતા બંને કોરોના પોઝિટિવ છે. તનુશ્રી હાલ હોસ્પિટલમાં છે અને તેની માતા હોમ ક્વોરન્ટીન છે.

“કસૌટી ઝીંદગી કે”નું શુટિંગ અનલોક બાદ શરૂ થયું હતું. સેટ પર પાર્થનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ અન્ય સ્ટારકાસ્ટના પણ ટેસ્ટ કરવામાં આવ્યા છે. પાર્થે તેના કોરોના પોઝિટિવ હોવાની વાત સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

પાર્થ સમથાનના કોરોના પોઝિટિવ આવ્યા બાદ બાલાજી ટેલિફિલ્મ્સ તરફથી એક ઓફિશિયલ સ્ટેટમેન્ટ બહાર પાડવામાં આવ્યું હતું. તેમાં લખ્યું હતું કે, અમારા વિવિધ સ્ટેકહોલ્ડર્સને જણાવવાનું કે કસૌટી ઝીંદગી કેના અમારા એક ટેલેન્ટનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે અને તે હાલ સારવાર હેઠળ છે. અમારી પહેલી પ્રાયોરિટી અમારા ટેલેન્ટ, પ્રોડક્શન ક્રૂ અને કર્મચારીઓને મદદ અને પ્રોટેક્ટ કરવાની છે. ગાઇડલાઇન મુજબની તમામ તકેદારી અમે લઇ રહ્યા છીએ. ઓથોરિટીઝ દ્વારા સેટ કરેલ દરેક નિયમો, હાઇજીનનું પાલન કરીને અમે શૂટિંગ ચાલું રાખ્યું હતું અને ચાલું રહેશે.

Related posts

સારા કાર્તિક આર્યન સાથે રોમાન્સ કરશે

aapnugujarat

વરૂણ ધવન સાથે અનુષ્કા શર્મા જોડી જમાવવા તૈયાર

aapnugujarat

૧૦ વર્ષ પછી સંજય લીલા ભણસાલીની ફિલ્મમાં જોવા મળશે દબંગ ખાન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1