બોલિવૂડમાં રોજ કોઇને કોઇ અફેરની ઘટનાઓ સામે આવતી રહે છે. સોશિયલ મીડિયામાં આવી નવી નવી ઘટના વિશે રોજ ચર્ચા થતી રહે છે. હાલમાં કેટરિના અને રણબીર કપૂરના પ્રેમ પ્રકરણ વિશે ચર્ચા થતી રહે છે અને જેમાં કેટરિનાએ ચોંકાવનારી વાત કહી છે. કેટરિના કૈફે કહ્યું કે કેવી રીતે તેનું દિલ તૂટી ગયું હતું અને પછી ફરીથી તે સામાન્ય જીવન જીવતી થઈ.
પહેલીવાર સલમાન ખાન સાથે અને બીજી વાર રણબીર કપૂર સાથે કેટરિનાના અફેરના સમાચાર આવ્યા હતા. એક મહત્વની વાત તો એ છે કે, કેટરિના કૈફ અને રણબીર કપૂર બે વર્ષથી છૂટા પડી ગયા છે. છતાં હજુ પણ બન્નેમાંથી કોઇએ ખુલીને બ્રેકઅપ વિશે વાત નથી કરી. ત્યારે કેટરિના કૈફે એક મુલાકાતમાં પોતાના દિલની વાત સૌની સમક્ષ રાખી હતી. અભિનેત્રીએ જણાવ્યું કે ‘તે કહેવું મુશ્કેલ છે કે ખરેખર આવું શા માટે થયું. પરંતુ તેના વિશે મારો એકદમ જુદો મત છે. હા એ વાત બરાબર કે આ બ્રેકઅપ ખરાબ છે અને ભયાનક છે.
વધુમાં કેટરિનાએ કહ્યું કે, બ્રેકઅપ દુનિયાની સૌથી ખરાબ વસ્તુ છે, મારું જીવન જાણે સમાપ્ત થઈ ગયું હતું, ફક્ત બે મિનિટ માટે પણ તેના પર વિશ્વાસ કરવો શક્ય નથી. પરંતુ જો તમે ભગવાન પર વિશ્વાસ રાખશો તો બધું સારુ અનુભવાશે અને સારી ફિલિંગ આવશે. કેટરિનાએ છોકરીઓને સંબોધીને વાત કરી કે, તમે જાણો છો કે દરેક લોકો સંઘર્ષ કરે છે. પરંતુ સૌથી મહત્વની વાત શીખવાની છે. અમે બધા અમારા ડર અને અસલામતીની વચ્ચે રહીને કામ કરી રહ્યા છીએ અને કઈક હાંસલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.