અભિનેત્રી જમિલા જમીલનું કહેવુંં છે કે કોવિડ -19 ને કારણે થયેલા લોકડાઉન એ તેણીને એક સારી વ્યક્તિ બનવામાં ખૂબ મદદ કરી છે.ફિમેલફર્સ્ટ ડોટ ના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ગ્રેજિયા મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યુ મુજબ,જમિલાએ જણાવ્યું છે કે કેવી રીતે આ રોગચાળા દરમિયાન તેનો જીવન જીવવાનો દૃષ્ટિકોણ બદલાઇ ગયો છે. અભિનેત્રીએ કહ્યું હતું કે “હું છેલ્લા કેટલાક સમયથી એટલી વ્યસ્ત છું કે મને મારી ભૂલો વિશે વિચારવાનો મોકો જ મળ્યો નથી. લોકડાઉનને લીધે મળેલા ફિઝુલ સમય દરમિયાન મને મારી જાતનું આત્મ અવલોકન કરવાની, શીખવાની, વાંચવાની અને જાગૃત કરવાની તક મળી છે. હું મારા જીવનમાં આ સમય માટે ઘણી આભારી છું.”
પાછલી પોસ્ટ