આજ રોજ અમદાવાદનાં બહેરામપુરા અને દાણીલીમડા વિસ્તારના વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગદળના કાર્યકર્તા દ્વારા લદ્દાખમાં ભારતીય વીર સૈનિકો અને ચીની સૈનિકો વચ્ચે થયેલી લોહીયાળ અથડામણમાં શહીદ થયેલા ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ચીન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો અને ચીની વસ્તુઓનો બહિષ્કાર કરવા માં આવ્યો તેમજ અને ચીની પ્રોડક્ટની તોડફોડ કરી સળગાવવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમમાં ભારત માતા કી જય ના નારા ગુંજતા હતાં.
(તસવીર / અહેવાલ :- પ્રવિણ વેગડા, અમદાવાદ)