હિંમતનગરના કાંકણોલ ગામમાં છેલ્લા ત્રણ દિવસથી આતંક મચાવનાર વાંદરો આખરે “પાંજરે પુરાતા ગામ લોકાએ રાહત નો દમ લીધો હતો. આ તોફાની વાનરે ગામમાં ૧૦થી પણ લોકોને બચકા ભર્યા હતાં. સાબરકાંઠા ફોરેસ્ટ વિભાગ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી સતત પ્રયત્નો કરતા આખરે કાંકણોલ ગામના તળાવ પાસે આંબલીના ઝાડ નીચે પાંજરૂ મુકતા તોફાની વાનર પાંજરે પુરાયો હતો.
(અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)