રાજ્યની તમામ રેફરલ હોસ્પિટલમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત દર મહિનાની છઠ્ઠી તારીખે અવલોકન થતું જોવા મળે છે ત્યારે ગત તારીખ ૦૬/૧૨/૨૦૧૯ના રોજ દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે દિયોદરના લાયન્સ કલબના પ્રમુખ પ્રદીપ શાહ જેવો સ્વચ્છતા અભિયાનના અંતર્ગત અવલોકન માટે રેફરલ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતાં. દિયોદર રેફરલ હોસ્પિટલમાં દ્વારા જે મશીનો આવેલા છે તેનો ઉપયોગ થાય છે કે નહીં તેની ચકાસણી કરી હતી. તેઓએ દિયોદર રેફરલ હોસ્પિટલ દ્વારા કેવા પ્રકારની સેવા કરવામાં આવે તેની પણ ડો. બ્રિજેશ વ્યાસ સાથે ચર્ચા કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે દિયોદર રેફરલ હોસ્પિટલ કેટલાક સમયથી ખંડેર હાલત બની રહ્યું છે અને તેનું રીપેરીંગ થાય તેવી સરકાર સામે માંગણી કરી હતી. જોકે વધુમાં એ પણ જણાવ્યું હતું કે નવીન હોસ્પિટલ બને તેમજ ડોક્ટરની જે ઘટ છે તે પૂર્ણ કરવામાં આવે અને જરૂરી સાધનોનો વપરાશ થાય એ પણ માંગણી કરી હતી.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર)